અમદાવાદ : સાબરમતી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ આજે તા-13-9-26 ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક શિક્ષક અને શિક્ષણવિદથી લઈને ધારાસભ્ય સુધીની તેમની સફર સાદગી, શિસ્ત અને પ્રજાલક્ષી કાર્યોની ઓળખ બની રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન સાબરમતી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા પરિવર્તનોએ મતવિસ્તારને નવી ઓળખ આપી છે.
ધારાસભ્ય હર્ષદભાઈ પટેલની કાર્યપદ્ધતિમાં વિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનો અભિગમ જોવા મળે છે. વિવિધ વિસ્તારોની મુલાકાત, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક તેમજ નાગરિકોના પ્રશ્નો સાંભળીને સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરવાની તેમની કાર્યશૈલીને લોકો સાથેના સતત જોડાણ તરીકે જોવામાં આવે છે.
રાણીપ વિસ્તારમાં આવેલ જનસંપર્ક કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોને મુલાકાત માટે કોઈ મધ્યસ્થી વિના સીધા મળવાની સુવિધા. આ ઉપરાંત તેઓનું મહત્વનું પાસું ગણી શકાય તો, એ છે વિસ્તારનો નિયમિત પ્રવાસ અને સોસાયટી બેઠકો, પ્રશ્નો જાણવા માટે ઓફિસમાં બેસી રહેવાને બદલે વિવિધ સોસાયટીઓ, ચાલીઓ અને છેવાડાના માનવી સુધીની રૂબરૂ મુલાકાતો. સાથે સાથે સામાજિક અને ધાર્મિક ઉત્સવોમાં સહભાગિતા થવા માટે સ્થાનિક તહેવારો, સામાજિક મેળાવડા કે જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે તેઓ હંમેશા અગ્રેસર રહે છે.
ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના મતવિસ્તાર એવા સાબરમતી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં માર્ગ અને ટ્રાફિક સુવિધા, રેલવે સ્ટેશન તરફની કનેક્ટિવિટી તથા શહેરી માળખાકીય વિકાસના અનેક કામો હાલમાં ચર્ચામાં છે. સાબરમતી રેલવે સ્ટેશન રોડના વિસ્તરણ અને વિકાસ સહિત અમદાવાદ શહેરની કનેક્ટિવિટી સુધારવા માટે વિવિધ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે.
સાબરમતી વિધાનસભા વિસ્તારની ઓળખ માત્ર વિકાસકામોથી જ નહીં પરંતુ તેની સામાજિક અને ઐતિહાસિક વિશેષતાઓથી પણ જોડાયેલી છે. સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ જેવા મહત્વના પ્રોજેક્ટો હવે અંતિમ તબક્કામાં છે જે હવે અમદાવાદ અને ગુજરાતની ઐતિહાસિક ઓળખને નવી ઊંચાઈ આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
રાજકારણમાં જનપ્રતિનિધિ અને જનતા વચ્ચેનો સીધો સંપર્ક સૌથી મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે. હર્ષદભાઈ પટેલ માટે પણ વિસ્તારના લોકો, કાર્યકરો અને વિવિધ સામાજિક સંગઠનો સાથે સતત સંવાદ જાળવી રાખવો કાર્યશૈલીનો મહત્વનો ભાગ રહ્યો છે. નાગરિકોના રોજિંદા પ્રશ્નોથી લઈને મોટા માળખાકીય મુદ્દાઓ સુધીની રજૂઆતોને યોગ્ય સ્તરે પહોંચાડવાના પ્રયાસો તેમની રાજકીય કાર્યપદ્ધતિની ઓળખ બની રહ્યા છે.
વિકાસકામો સાથે લોકોની લાગણી અને જરૂરિયાતને સમજવી, સ્થાનિક પ્રશ્નો માટે તંત્ર સાથે સંકલન કરવું અને વિસ્તારના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો-આ બાબતો કોઈપણ જનપ્રતિનિધિ માટે મહત્વપૂર્ણ હોય છે. સાબરમતીના ધારાસભ્ય તરીકે હર્ષદભાઈ પટેલનો પ્રયાસ પણ વિકાસ અને જનસંપર્ક વચ્ચે સંતુલન જાળવીને વિસ્તારને આગળ લઈ જવાનો રહ્યો છે.
આજે તેમના જન્મદિવસના પ્રસંગે સાબરમતી વિધાનસભા વિસ્તારના કાર્યકરો, સમર્થકો અને નાગરિકો તરફથી હર્ષદભાઈ પટેલને શુભેચ્છાઓ મળી રહી છે. જન્મદિવસનો આ પ્રસંગ માત્ર ઉજવણીનો નહીં પરંતુ વિસ્તારના વિકાસ માટે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો પણ અવસર બની રહ્યો છે.
આવનારા સમયમાં સાબરમતી વિધાનસભા વિસ્તાર વધુ સુવ્યવસ્થિત, સુવિધાસભર અને વિકાસશીલ બને, લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે અને જનપ્રતિનિધિ તથા જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બને-એવી અપેક્ષા સાથે ધારાસભ્ય હર્ષદભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.


