Friday, May 1, 2026

અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત પૂર્વના 37 બ્રિજ અને પશ્ચિમ 32 બ્રિજ સમારકામ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે.1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં રેલવે અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઈનોર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજના સમારકામ હાથ ધરવામાં આવનાર છે.

મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજોના તપાસના આદેશ સ્થાનિક તંત્રને આપ્યા હતા. જે બાદ AMC દ્વારા શહેરના ઐતિહાસિક બ્રિજોના તપાસ માટેના ટેન્ડર આપવામાં આવ્યા હતા. જે પૈકી 69 બ્રિજને હાલ મેન્ટેનન્સની એટલે કે રીપેર કરવાની જરૂર પડી છે. જે પૈકી શહેરના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ અને પશ્ચિમ વિસ્તારના 32 બ્રિજ નો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં 1892 થી વર્ષ 2024 ના સમયાંતરે બીજો બનાવવામાં આવ્યા હતા. જે પૈકી શહેરમાં 10 બ્રિજ સાબરમતી નદી ઉપર 24 બ્રિજ રેલવે ઓવર બ્રિજ તરીકે 15 રેલવે અંતર પાસ 19 ફ્લાય ઓવર બે ચંદ્રભાગાના નાળા પરના બ્રિજ બે બ્રિજ ખારી નદી પરના તેમ જ છ ખારી કટ કેનાલ પરના બોક્સ કન્વર્ટ નો સમાવેશ થાય છે. જે તમામની તપાસ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.

1892થી 2024 સુધી બનેલા 88 બ્રિજની મજબૂતાઈ ચકાસવા મ્યુનિ.એ તપાસ હાથ ધરી છે. સાબરમતી નદી પરના 10, 24 રેલવે ઓવરબ્રિજ, 15 રેલવે અંડરપાસ, 19 ફ્લાયઓવર, ચંદ્રભાગા પરના 2, ખારી નદી પરના 2, અને ખારીકટ કેનાલ પર આવેલા 6 બ્રિજની મ્યુનિ.એ નિમેલા કન્સલ્ટન્ટને તપાસ કરી હતી. પૂર્વના 37 બ્રિજમાં કર્બસ, સેન્ટ્રલવર્જ, રેલિંગ, રિટેઇનિંગ વોલ, ગર્ડર, બીમ, કોલમ અને સ્લેબ બોટલ સ્પેલિંગ, હની કોમ્બિંગ, લીચીંગ જેવી સામાન્ય ક્ષતિ જોવા મળી હતી. જેેને રિપેરિંગ કરી પોપડા દૂર કરી દુરસ્ત કરવામાં આ‌વશે, તૂટી ગેયલી પાઇપોને રિપેર કરાશે. એન્ટિકોર્બોનેશન પેઇન્ટ કરાશે. તથા હનીકોમ્પિંગ પણ રિપેર કરી દેવામાં આવશે.

ચોમાસુ પૂર્ણ થયા બાદ આ તમામ બ્રિજ નુ રીપેરીંગ કામ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું ટેન્ડર આપવામાં આવ્યું છે જેમાં સેન્ટ્રલવર્જ બીમ કોલમ સ્લેબ બોટલ રેલિંગ સહિતની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે. પ્રથમ તબક્કે પૂર્વના બ્રિજનું રિપેરીગ કરશે બાદમાં પશ્ચિમના બ્રિજનું ટેન્ડર બહાર પાડવામાં આવશે, પૂર્ણ બ્રિજ માટે ૨ કરોડથી વધુની રકમ હાલ AMC દ્વારા મંજૂર કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...