Thursday, January 22, 2026

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે 250થી વધુ લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સરળતાથી પોતાનું મકાન મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવે છે. જે યોજનાં હેઠળ મકાન લેવા ઈચ્છુત વ્યક્તિ જરૂરી પ્રક્રિયા કરી મકાન મેળવે છે પરંતુ આવા જ ઈચ્છુક લોકોને પોતાની વાતોમાં ફસાવી લાખો રૂપિયા મેળવી ઠગાઈ આચરવામાં આવી છે. જે મામલે ઝોન 1 વિસ્તારમાં વસ્ત્રાપુર, સોલા અને નારણપુરામા 3 ફરિયાદ નોંધાઈ હતી. જોકે ઝોન 1 એલસીબીની ટીમે આરોપીને પકડી પાડ્યો છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી 250 થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો છે. આ મામલે વિરમસિંહ રાઠોડ નામનાં આરોપીની ઝોન 1 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનુ જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી. તેણે વસ્ત્રાપુર, નારણપુરા અને સોલા વિસ્તારનાં લોકોને આ રીતે છેતર્યા હતા.આ મામલે કુલ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આરોપીએ કુલ 3 કરોડથી વધુ રકમ લોકો પાસેથી આ રીતે મેળવી છે. ઝડપાયેલા આરોપીએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે જીપીએસસીની તૈયારી કરતો હતો જે દરમિયાન તેને આ રીતે લોકો સાથે ઠગાઈ કરવાનો વિચાર આવ્યો અને છેલ્લાં 3 વર્ષમાં અનેક લોકો પાસેથી પૈસા પડાવી લીધા.

ઝડપાયેલો આરોપી રાતોરાત કરોડપતિ જોવાના સપના જોતો હતો જેનાં કારણે તેણે આ રીતે પૈસા મેળવવાનું શરૂ કર્યુ અને પોતાની નીચે માણસો રાખી મકાન મેળવવા ઈચ્છતા લોકોને લાવી તેનાં દ્વારા અપાતી રકમમાંથી એજન્ટોને કમિશન પણ આપતો હતો. વધુમાં તે ભોગ બનનારાઓને બોગસ પઝેશન લેટર પણ આપી વિશ્વાસમાં લેતો હતો. અનેક કેસમાં તે ભોગ બનનારને મકાન નહી લાગે તો રૂપિયા પરત આપી દેશે તેવી વાતો કરતો હતો.

આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેણે 250 થી વધુ ભોગ બનનારાઓ પાસેથી મેળવેલા 3 કરોડ રૂપિયામાંથી 50 થી 60 લાખ રૂપિયા એજન્ટોને કમિશન આપ્યું છે. તેણે આ સમયગાળા દરમિયાન 3 અલગ અલગ વેપાર કર્યા હતા. જેમાં તેણે ફૂડ સ્ટોલમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું પણ તેમાં સફળ ન થતા બંધ કરી નાખ્યું અને બાદમાં ગૃહ ઉદ્યોગ અને શેર બજારમાં પણ રોકાણ કર્યું પરતુ તમામ ધંધામાં તે નિષ્ફળ ગયો હતો.

આરોપીએ ભોગ બનનારાઓને સાયન્સ સિટી જેવા પોશ વિસ્તારમાં બનતા AUDAનાં મકાનો બતાવ્યા હતા અને રૂપિયા મેળવ્યા હતા. આ મામલે ઝોન-1 એલસીબીની ટીમે આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...