Sunday, January 25, 2026

ઈસ્કોન મંદિરમાં દીકરીનું બ્રેઈનવોશ કરી શિષ્ય સાથે ભગાડી દીધાના ગંભીર આક્ષેપ, પિતાએ હાઈકોર્ટના ખખડાવ્યા દ્વાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર આવેલુ ઈસ્કોન મંદિર વિવાદમાં આવ્યુ છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના કથિત બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે. પિતાનો આક્ષેપ છે કે શહેરના ઇસ્કોન મંદિરે તેમની દીકરીનું બ્રેઈનવોશ કર્યું છે. દીકરી ઇસ્કોન મંદિરના પૂજારીના કબજામાં છે. તેને રોજ ડ્રગ્સ-ગાંજો આપવામાં આવે છે. દીકરીને પાછી મેળવવા માટે પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા નિવૃત્ત આર્મી જવાને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મંદિરના પૂજારી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારની દીકરીને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જૂન મહિનામાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે યુવાન દીકરીને ભગાડી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં કરેલી રજૂઆત અનુસાર 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ દીકરીને ભગાડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ ગુરુએ પોતાના શિષ્ય સાથે દીકરીના લગ્નની વાત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ જ્ઞાતિ હોવાથી અરજદારે દીકરીના લગ્ન માટે ઈન્કાર કરી દીધો હતો . હાલ ઉત્તર પ્રદેશના મથુરામાં અરજદારની દીકરી હોવાની માહિતી અરજદારને મળી હતી. જેના પગલે અરજદારે પોલીસ કમિશનર, કાયદા અને ગૃહ મંત્રાલયમાં પણ અરજી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...