Sunday, January 25, 2026

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક મોટો અને જનતાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ હસ્તકની વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓને હવે દંડનીય વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના અંદાજે 9,029 થી વધુ ગ્રામ્ય કુટુંબોને સીધો આર્થિક ફાયદો થશે. ઘણા સમયથી બાકી રહેતા હપ્તાઓને કારણે લાભાર્થીઓ પર વ્યાજનું ભારણ વધી ગયું હતું. મુખ્યમંત્રીએ આ સમસ્યાને સમજીને વન-ટાઇમ માફીની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કુલ રુ.154 કરોડની દંડનીય વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. જે લાભાર્થીઓ આગામી 6 મહિનાના સમયગાળામાં પોતાની બાકી રહેલી સંપૂર્ણ મૂદ્દલ રકમની ચૂકવણી કરી દેશે, તેમને 2 ટકા જેટલા દંડનીય વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ પરિવારો આર્થિક દેવામાંથી મુક્ત થાય અને સન્માનપૂર્વક પોતાના ઘરમાં રહી શકે.

ઘણા કિસ્સાઓમાં, રકમ બાકી હોવાને કારણે લાભાર્થીઓને મકાનના કાયદેસરના દસ્તાવેજો કે માલિકી હક્ક મળી શકતા નહોતા. હવે, આ યોજના દ્વારા મૂદ્દલની રકમ પૂર્ણ થતા જ લાભાર્થીઓને તેમના મકાન પર કાયદેસરનો માલિકી હક્ક પ્રાપ્ત થશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...