Sunday, March 15, 2026

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક મોટો અને જનતાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ હસ્તકની વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓને હવે દંડનીય વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના અંદાજે 9,029 થી વધુ ગ્રામ્ય કુટુંબોને સીધો આર્થિક ફાયદો થશે. ઘણા સમયથી બાકી રહેતા હપ્તાઓને કારણે લાભાર્થીઓ પર વ્યાજનું ભારણ વધી ગયું હતું. મુખ્યમંત્રીએ આ સમસ્યાને સમજીને વન-ટાઇમ માફીની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કુલ રુ.154 કરોડની દંડનીય વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. જે લાભાર્થીઓ આગામી 6 મહિનાના સમયગાળામાં પોતાની બાકી રહેલી સંપૂર્ણ મૂદ્દલ રકમની ચૂકવણી કરી દેશે, તેમને 2 ટકા જેટલા દંડનીય વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ પરિવારો આર્થિક દેવામાંથી મુક્ત થાય અને સન્માનપૂર્વક પોતાના ઘરમાં રહી શકે.

ઘણા કિસ્સાઓમાં, રકમ બાકી હોવાને કારણે લાભાર્થીઓને મકાનના કાયદેસરના દસ્તાવેજો કે માલિકી હક્ક મળી શકતા નહોતા. હવે, આ યોજના દ્વારા મૂદ્દલની રકમ પૂર્ણ થતા જ લાભાર્થીઓને તેમના મકાન પર કાયદેસરનો માલિકી હક્ક પ્રાપ્ત થશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...