Sunday, March 15, 2026

અમદાવાદમાં વૃદ્ધને બોનેટ પર લટકાવીને ફર્યો, Video વાયરલ થતા જનતા ભડકી, આરોપીની અટકાયત

spot_img
Share

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. જે બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકને એક વૃદ્ધ સમજાવવા જતા કાર ચાલકે વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર દોડાવી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં વૃદ્ધ કાર ચાલકને કહે છે કે હું કેસ કરવાનો નથી. તેમ છતાં કાર ચાલક પોતાની કાર ઉભી રાખવાની જગ્યાએ પુરપાટ દોડાવતો વીડિયોમાં જોઈ શકાય છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ગંભીર બન્યો હતો. વીડિયો વાયરલ થતા જનતા ભડકી હતી અને ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 13 CB 2908 હોવાનું સામે આવ્યું હતું. આ કાર આઈ10 નિયોસ મોડેલની હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે કાર ચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાયરલ થયેલા વીડિયોના આધારે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે રાતે પોલીસ સ્ટેશનમાં ભયજનક ડ્રાઇવિંગની કલમ બીએનએસ (BNS) 281 મુજબ અને એમવી એક્ટ (MV Act) 184, 177, 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને આરોપી ડ્રાઈવર જાદવ હરિસિંહ સુરસંગની અટકાયત કરવામાં આવી છે.પોલીસ તપાસમાં આરોપીની ઓળખ જાદવ હરિસિંહ સુરસંગ તરીકે થઈ છે. આરોપી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો રહેવાસી છે અને હાલમાં અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...