Saturday, July 18, 2026

વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 8 લોકોનાં મોત, 15 વ્યકિત દાઝી ગયા

spot_img
Share

અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલથી ગતરાડ રોડ પર આજે એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 8 લોકોનાં મોત થયાહતા, જ્યારે 15 લોકો દાઝી ગયા જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા વસ્ત્રાલ આરએફએ તાબડતોબ બચાવકામગીરી શરૂ કરી હતી.

રિપોર્ટ મુજબ, વસ્ત્રાલમાં રામોલથી ગતરાડ જતા માર્ગ પર મહેમુદપુરા ટેલેન્ટ પાસે આવેલી ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં આજે અચાનક જોરદાર બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. ફેક્ટરીની અંદર દારૂગોળો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે જ અનેક એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉ રદ્દ કરી દેવાયું હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. આ મામલે તંત્ર દ્વારા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે હાલ ફરાર છે. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદના મેયર અને AMCના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર મામલે પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

આ હૃદયદ્રાવક ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનોને ₹2 લાખ અને પ્રત્યેક ઘાયલ વ્યક્તિને ₹50 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારને 50,000ની જાહેરાત કરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...