Monday, March 30, 2026

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

spot_img
Share

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે, જેના મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. મતદાર યાદી શુદ્ધિકરણ (SIR) ની કામગીરી હજુ માંડ પૂરી થઈ છે ત્યાં જ શિક્ષણ નિયામક દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, હવે શિક્ષકોએ પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનોની ગણતરી કરીને સચોટ માહિતી આપવી પડશે. આ નિર્ણયને પગલે શૈક્ષણિક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નાયબ શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં રખડતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. આ માર્ગદર્શિકાના પાલન માટે શાળાઓના કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારમાં શ્વાનોના સર્વે કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે.

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ શિક્ષણ વિભાગની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં 40,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં કાર્યરત શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની 60 થી વધુ પ્રકારની કામગીરી લેવામાં આવતી હોવાથી શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે.

અગાઉ તીડ ભગાડવા, શૌચાલય ગણવા અને સસ્તા અનાજની દુકાને લાઈનો કરાવવા જેવી બિનશૈક્ષણિક કામગીરી બાદ હવે પરીક્ષાના સમયે જ શ્વાનોની ગણતરીનો ભાર સોંપાતા શિક્ષકો માનસિક તાણ અનુભવી રહ્યા છે, જેના કારણે એક સમયે દેશમાં અગ્રેસર રહેલું ગુજરાતનું શિક્ષણ આજે 19મા કે 21મા ક્રમે ધકેલાઈ ગયું છે.

બીજી તરફ, આ વિવાદ અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટતા કરી છે કે, આ આદેશ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લેવાયો છે. તેમણે કહ્યું કે, “શિક્ષકોએ ક્યાંય ગામમાં સર્વે કરવા જવાનું નથી, માત્ર શૈક્ષણિક સંકુલના વિસ્તારમાં જ આ માહિતી એકઠી કરવાની છે. આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા માટે છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...