Saturday, March 14, 2026

અમદાવાદના ભદ્ર વિસ્તારના 586 પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધી પુનઃસ્થાપિત કરવા હાઇકોર્ટનો AMCને કડક આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી.હાઇકોર્ટે નોંધ્યું કે ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી કાયદા વિરુદ્ધ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોર્ટે AMCને આદેશ આપ્યો છે કે સર્ટિફાઈડ સ્ટ્રીટ વેન્ડર્સને અગાઉના પ્લાન મુજબ યોગ્ય જગ્યા ફાળવવામાં આવે અને આ માટે ફેરિયાઓને સાથે રાખીને જ નવી સ્કીમ તૈયાર કરવામાં આવે. હાઈકોર્ટે આ પ્રક્રિયા માટે કડક સમયમર્યાદા નક્કી કરતા આદેશ આપ્યો હતો કે આગામી 21 માર્ચ સુધીમાં ભદ્રના તમામ સર્ટિફાઈડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે. આ માટે AMCના ત્રણ અધિકારીઓ અને એક સિનિયર પોલીસ અધિકારીની બનેલી કમિટી એક અઠવાડિયામાં સર્ટિફિકેટની ચકાસણી પૂર્ણ કરશે.

AMCના રેકોર્ડ મુજબ ઉપલબ્ધ 844 જગ્યાઓ પૈકી જે 586 ફેરિયાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તેમને ભદ્રમાં જ સમાવવાના રહેશે, જ્યારે બાકીના 258 ફેરિયાઓને અન્યત્ર રિલોકેટ કરવાની વ્યવસ્થા કરવાની રહેશે. જોકે, આ વ્યવસ્થા દરમિયાન અવરજવરનો રસ્તો ન રોકાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી વહીવટીતંત્રની રહેશે અને આ મામલે વધુ સુનાવણી 17 એપ્રિલે યોજાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

વર્ષ 2014માં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર હાઇકોર્ટે લાંબા સમયથી સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે AMC દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ (સુરક્ષા અને નિયમન) અધિનિયમનો યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી. કોર્ટના મત મુજબ, કોઈ પણ વિસ્તારને ‘નો વેન્ડિંગ ઝોન’ જાહેર કરતા પહેલા સ્ટ્રીટ વેન્ડર્સનો યોગ્ય સર્વે કરવો જરૂરી છે. સર્વે કર્યા વગર ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી યોગ્ય નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...