Sunday, March 1, 2026

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

spot_img
Share

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ તમામ વહીવટી અને શૈક્ષણિક ફાઈલ કામગીરી ઈ-સરકાર પોર્ટલ મારફતે જ કરવાની રહેશે.જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી થશે તેવી પણ જણાવાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર મારફતે જ ચલાવવા કમિશનર શાળાઓની કચેરીએ આદેશ કર્યો છે.આ નવા આદેશ અનુસાર હવે DEO કચેરીઓમાંથી શાળા કમિશનર કચેરીમાં મોકલાતી તમામ ફાઈલો અને પત્રવ્યવહાર માત્ર ઈ-સરકાર સિસ્ટમ મારફતે જ સ્વીકારવામાં આવશે. શાળા કમિશનર કચેરીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોઈપણ પ્રકારની હાર્ડ કોપી ફાઈલ કે પત્ર સ્વીકારવામાં નહીં આવે.

આ પહેલા પણ ઘણીવાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેનો પૂરેપૂરો અમલ કચેરીઓ નહીં કરતી હોવાથી હવે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર શાળાઓની કચેરી ખાતે મોકલવામાં આવતી તમામ ફાઇલો અને પત્ર હવે માત્ર ઈ-સરકાર મારફતે જ મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી થશે તેવી પણ જણાવાયું છે.

રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના કચેરી સ્તરે ઈ-સરકાર પ્રણાલીનું સંપૂર્ણ અમલીકરણ કરવા કડક સૂચનાઓ આપી છે. આથી ફાઈલ પ્રક્રિયામાં વિલંબ ઘટશે તેમજ દસ્તાવેજોનું ટ્રેકિંગ પણ સરળ બનશે. આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ડિજિટલ સિસ્ટમને અપનાવવાથી શિક્ષણ વિભાગની કામગીરી વધુ કાર્યક્ષમ અને ઝડપી બનશે તો સાથે વહીવટી પ્રક્રિયાઓ પણ વધુ સરળ અને સુગમ બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...