Tuesday, March 17, 2026

અમદાવાદમાં 133 ટ્રાફિક જંકશનની નવી ડિઝાઇન સાથે થશે કાયાકલ્પ, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોમનવેલ્થ પહેલા શહેરના રોડ રસ્તા ટ્રાફિક મુકત બન તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20.08 કરોડની યોજનાને મંજૂરી આપી છે. જે અંતર્ગત 133 જંકશનની કાયાકલ્પ કરવામાં આવશે.આ યોજનાનો મુખ્ય હેતુ પદયાત્રીઓ માટે રસ્તાઓ સુરક્ષિત બનાવવા અને વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિક જંકશનની કાયાકલ્પની મંજૂરી આપવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં 29 જંક્શનોની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે, જ્યારે બાકીના 104 જંક્શનો માટે પણ આયોજન તૈયાર છે. આ યાદીમાં આર.ટી.ઓ. નેહરુનગર, જલારામ કચ્છી ભવન અને વિજય ચાર રસ્તા જેવા મહત્વના જંક્શનો સામેલ છે. આ ઉપરાંત જજિસ બંગલો ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા અને પેલેડિયમ મોલ જંક્શનના વિકાસ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શહેરમાં 100થી વધુ જંક્શનો પર ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકાર્યું કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે પદયાત્રીઓ માટે રસ્તો ઓળંગવો જોખમી બન્યો છે. રૂ. 20 કરોડના આ બજેટનો ઉપયોગ મુખ્ય જંક્શનોનો ટ્રાફિક સર્વે અને વિકાસ, પદયાત્રીઓ માટે ખાસ ક્રોસિંગની વ્યવસ્થા, સાઇન બોર્ડ, રોડ માર્કિંગ, લેન લાઇન, સ્ટોપ લાઇન અને ઝેબ્રા ક્રોસિંગ બનાવવા માટે થશે.

આ મંજૂર કરાયેલું બજેટ પ્રારંભિક અંદાજ રૂ13.59 કરોડ કરતા 47.7 ટકા વધારે છે, જેને માર્ચમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પસાર કરવામાં આવ્યું હતું. AMC ના પ્રસ્તાવ મુજબ, જંક્શન પરની વણવપરાયેલી જગ્યાઓને ટ્રાફિક આઇલેન્ડમાં ફેરવવામાં આવશે અને વાહનોની અવરજવર સુધારવા માટે લેન સ્પષ્ટ કરવામાં આવશે. રસ્તાની પહોળાઈ મુજબ ફ્રી લેફ્ટ ટર્નની વ્યવસ્થા કરાશે.

સૂત્રોએ જણાવ્યું કે, મીઠાખળી, નેહરુનગર અને આર.ટી.ઓ. જેવા મોટા જંક્શનો ટ્રાફિક જામની સમસ્યા વધારે છે. પીક અવર્સ દરમિયાન આ જંક્શનો વાહનોની અવરજવરમાં અવરોધ ઉભો કરે છે. આથી, ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા માટે આ જંક્શનોની રિડિઝાઇન કરવાનું આયોજન છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...