ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા છે. ગઈકાલે બોરીસણાથી આધારકાર્ડ કઢાવવાનું કહી ઘરેથી ગાડી લઈ નીકળ્યા હતા, જેના બાદથી તેમના મોતની ખબર આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર જિલ્લાના બોરિસણા ગામના રહેવાસી ધીરજભાઈ રબારી આધાર કાર્ડ કઢાવવાનું કહીને ગઇકાલે ઘરેથી નીકળ્યા હતા. જો કે સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા બંને દીકરીઓ સાથે ગુમ થયાની પરિવારજનોએ સાંતેજ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે સવારે ધીરજભાઈ રબારીની બંને દીકરીઓનો મૃતદેહ નર્મદા કેનાલમાથી મળી આવતા પંથકમાં શોક વ્યાપી ગયો છે.
પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે. જો કે ધિરજભાઈનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. તેમની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ધીરજભાઈ બિઝનેસમેન છે. કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે.


