Friday, September 18, 2026

અમદાવાદમાં ફરી નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે, લોકોમાં ભારે રોષ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધુ એકવાર નશાખોર નબીરાએ નિર્દોષ લોકોનાં જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પોશ ગણાતા શીલજ-થલતેજ રોડ પર રવિવારની રાત્રે એક કિઆ (Kia) કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી એક કે બે નહીં પરંતુ કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી જેના આધારે ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના શીલજ-થલતેજ રોડના વ્યસ્ત વિસ્તારમાં બન્યો છે. કિઆ કારના ચાલકે અચાનક કંટ્રોલ ગુમાવ્યો અને એક પછી એક 9 વાહનોને અડફેટે લીધા. આમાં બાઈક, ઓટોરિક્ષા, કાર અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક નશામાં હતો, જેના કારણે તેણે વાહનનું નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલકને સ્થાનિક લોકોએ રોકી રાખ્યો હતો અને પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.આ દરમિયાન કિયા કાર ચાલકના ડ્રાઈવરને પણ લોકોએ પકડી લીધો હતો. જોકે, ડ્રાઈવર એટલો નશામાં ધૂત હતો કે તે પોતાના પગ ઉપર ઉભો પણ રહી શકતો નહતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો લીધા છે.

કાર ચાલકનો નશો તપાસવા માટે તેનું બ્લડ ટેસ્ટ કરાવવાની તજવીજ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ છે. પોલીસે કાર ચાલક સામે IPCની કલમ 279 (લાપરવાહીથી વાહન ચલાવવું), 337 (જોખમ પહોંચાડવું), 338 (ગંભીર ઈજા પહોંચાડવી) અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. નશામાં વાહન ચલાવવાનું સાબિત થાય તો કડક કાર્યવાહી થશે.

આ અકસ્માતે શહેરના આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી પર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે, નશામાં વાહન ચલાવવું દર વર્ષે અનેક અકસ્માતોનું મુખ્ય કારણ બને છે અને આવા કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી છે. સરકાર અને પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે નશામાં વાહન ન ચલાવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. જોકે, તેની અત્યાર સુધીમાં કોઈ અસર થઈ નથી. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...