Thursday, September 17, 2026

નારણપુરા પોલીસ દ્વારા ‘જીવન સંધ્યા’ વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની અનોખી ઉજવણી: સંગીત અને સુરક્ષાના સંગમ સાથે વડીલોના આશીર્વાદ લીધા

spot_img
Share

અમદાવાદ : આજે સમગ્ર વિશ્વ જ્યારે ‘મધર્સ ડે’ની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને સંવેદનશીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારણપુરા પી.આઈ. શ્રી કે.આર. સક્સેના અને તેમની ટીમ દ્વારા વિસ્તારમાં આવેલા ‘જીવન સંધ્યા’ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે આ દિવસની હૂંફભરી ઉજવણી કરવામાં આવી હતી.

વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનો એકલતા અનુભવે નહીં અને તેમને પરિવારની ખોટ ન સાલે તેવા ઉમદા હેતુ સાથે પોલીસ દ્વારા ‘સંગીત સંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. શ્રી સક્સેના અને પોલીસ સ્ટાફે વડીલો સાથે મળીને મધુર ગીતો ગાયા હતા અને વડીલોને પણ ગીતો ગાવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સંગીતમય વાતાવરણને કારણે વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર સ્મિત રેલાયું હતું.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા તમામ વડીલોને પ્રેમપૂર્વક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. પી.આઈ. શ્રી દ્વારા વડીલોના આશીર્વાદ મેળવી મધર્સ ડેને સાર્થક કરવામાં આવ્યો હતો. પોલીસે વડીલો સાથે લાંબો સમય પસાર કરી તેમની લાગણીઓ વહેંચી હતી, જેથી તેઓને ઘર જેવું વાતાવરણ મળી રહે.

કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝનોને ચેન સ્નેચિંગ, ભીડભાડવાળી જગ્યાએ પાકીટ તથા કિંમતી વસ્તુઓની ચોરી જેવા બનાવોથી સાવચેત રહેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પીઆઇ શ્રી દ્વારા સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરી સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.વધુમાં નારણપુરા “શી ટીમ” દ્વારા મહિલાઓના રક્ષણ અને જાગૃતિ માટે કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.

કોઈપણ પ્રકારની મુશ્કેલી, રજૂઆત અથવા સહાયની જરૂરિયાત હોય તો નિઃસંકોચ નારણપુરા “શી ટીમ”નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ વિસ્તારની મહિલાઓ અને સિનિયર સિટીઝનને સુરક્ષા અને સહાય માટે હંમેશા પોલીસ તેમની સાથે હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...