અમદાવાદ : વંદે ભારત ટ્રેનની મદદ થી ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી હતી. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ટીમ દ્વારા અંકલેશ્વરથી ટ્રેનમાં હૃદય અમદાવાદ લાવવામાં લાવવામાં આવ્યું હતું. ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી કરાયું છે. ત્રણ દિવસ માં બીજી વખત હૃદયને યુ.એન.મહેતા. હોસ્પિટલ લાવવા વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, યુ.એન. મહેતા હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી આ હૃદય મેળવવામાં આવ્યું હતું. હોસ્પિટલથી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સુધી મિનિટોમાં ઓર્ગન ટ્રાન્સપોર્ટટેશન માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછો પરિવહન સમય લાગે તેની તકેદારી રાખવામાં આવી હતી. ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં એક એક મિનિટ મહત્વની હોય છે અને દરદી માટે જીવનમરણનો ખેલ બની રહે છે.
ત્રણ દિવસમાં આ બીજી વખત બન્યું છે જ્યારે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ દાનમાં મળેલા અવયવને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવા માટે કરવામાં આવ્યો છે. આગામી પ્રક્રિયા યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરવામાં આવતી 78મી સફળ હૃદય પ્રત્યારોપણ (હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન છે, તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી હતી. વંદેભારત ની તેજ ગતિની મદદથી ગુજરાતમાં ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. યુ એન મહેતાનું 78 મુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે.


