અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના પ્રાથમિક વિભાગના નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રિપોર્ટ મુજબ, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી જાગૃતિવેન પટેલે આરતી ઉતારી બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે પ્રાર્થના કરી હતી. જન્માષ્ટમીની આ ઉજવણીમાં કુલ 140 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જન્માષ્ટમી પર્વની ઉજવણી દરમિયાન, બાળકો ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના વેશમાં સજ્જ થઈને શાળાએ આવ્યા હતા. આ દ્રશ્યએ સમગ્ર વાતાવરણને જીવંત અને આકર્ષક બનાવ્યું હતું. આ ઉપરાંત રાધારાણી નૃત્ય, નૃત્ય નાટિકા, રાસ, બાળલીલા અને મટકી ફોડ જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે શાળામાં આધ્યાત્મિક તેમજ ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું.


