અમદાવાદ : આખરે અમદાવાદના ઐતિહાસિક કેલિકો ડોમના રિનોવેશનની કામગીરી પૂર્ણ થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી રિસ્ટોરેશનની કામગીરી હવે પૂર્ણ થતાં ડોમને ફરી એકવાર મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવાની તૈયારી શરૂ થઈ છે.જોકે કેલિકો ડોમની કામગીરી પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબ થયો છે, પરંતુ તંત્રનું કહેવું છે કે ડોમને તેના મૂળ સ્વરૂપ અને ડિઝાઇન પ્રમાણે જ તૈયાર કરવાનો હોવાથી કામગીરીમાં વધુ સમય લાગ્યો છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં હેરિટેજ વારસામાં કેલિકો ડેમ સ્થાન પામ્યો છે.તેનું રિનોવેશન આખરે પાંચ વર્ષ બાદ પૂર્ણ કરવામાં આવ્યું છે.ડોમની કામગીરી પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતા વધુ વિલંબ થયો છે પરંતુ હવે કામગીરી પૂર્ણ થતા તેને ખુલ્લો મુકવામાં આવશે.ડોમમાં પેનલો લગાવી દેવામાં આવી છે.હવે ડોમ અંગે બાબત કમિટી સમક્ષ મૂકવામાં આવશે.કમિટી દ્વારા કોઈ ફેરફાર નહીં સૂચવવામાં આવે તો તે મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
ઈ.સ. 1963માં બકમીન્સ્ટર કુલર જીયોડેસિક ગુંબજોથી પ્રેસિત થઈને ગૌતમ સારાભાઈ અને ગીરા સારાભાઈએ કેલિકો ડોમ તૈયાર કર્યો હતો. જેમાં કેલિકો મિલ માટે દુકાનો હતી. અમદાવાદમાં પ્રથમ ફેશન શો પણ આ ડોમમાં યોજાયો હતો. બોલિવૂડની જાણિતી અભિનેત્રી પરવીન બાબીએ 1970માં કેલિકો ડોમમાં યોજાયેલા ફેશન શોમાં ભાગ લીધો હતો. 1990માં આ ડોમમાં રહેલી મીલ અને દુકાનો બંધ થઈ હતી.
જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે આ ડોમનો મધ્યભાગ તૂટી પડ્યો હતો. 2003માં ભારે વરસાદને કારણે ડોમની અંદરના ભાગે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ આ ડોમ સંપૂર્ણ પણે તૂટ્યો હતો. 2020માં તેનું રિનોવેશન કામ હાથ ધરાયું હતું. જે હવે પૂર્ણ થતાં શહેરના હેરિટેજ વારસામાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.


