Saturday, September 12, 2026

AMCનો સખત આદેશ, સાબરમતી નદી અને તળાવોમાં નહીં થાય ગણેશ વિસર્જન, 38 સ્થળોએ 47 કૃત્રિમ કુંડની કરશે વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદી અને શહેરનાં તળાવોને પ્રદૂષણથી બચાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં 38 સ્થળોએ કુલ 47 કૃત્રિમ કુંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઝોન-વોર્ડ કક્ષાએ આ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવશે.નાગરિકોને કુદરતી જળાશયોમાં મૂર્તિ વિસર્જન કરવાના બદલે આ કુંડનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આયોજન મુજબ શહેરના 7 ઝોનમાં કુંડની સંખ્યા અલગ અલગ રાખવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 8, દક્ષિણ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 11, ઉત્તર પશ્ચિમમાં 5 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4 કુંડ બનાવાશે. કુંડ માટે વસ્ત્રાલ, નિકોલ, નારણપુરા, સાબરમતી, નવરંગપુરા, રાણીપ, પાલડી, ચાંદખેડા, સૈજપુર, સરદારનગર, વટવા, મણિનગર, લાંભા, શાહીબાગ, જમાલપુર, બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, જોધપુર અને સરખેજ સહિતના સ્થળો નક્કી કરાયા છે.

AMC દ્વારા કૃત્રિમ કુંડની કામગીરી દરમિયાન HDPE લાઇનર, બેરિકેડિંગ, નિયમિત સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સૂચના આપવામાં આવી છે. સફાઈ દિવસમાં બે વખત કરાશે. આગ-અકસ્માતની સ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ અને સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં પરવાનગી વિના મૂર્તિ વિસર્જન તેમજ નિર્માલ્ય નદીમાં ફેંકવા પર પ્રતિબંધ રહેશે. ભીડ નિયંત્રણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવશે.

ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદીની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે નદીમાં પરવાનગી વગર ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા પર સખત પ્રતિબંધ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં મૂર્તિ વિસર્જન ઉપરાંત નિર્માલ્ય કે અન્ય પૂજા સામગ્રી નદીમાં ફેંકવા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો કુદરતી જળાશયોના બદલે એએમસી દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ વિસર્જન કુંડનો ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...