Thursday, September 18, 2025

સમર વેકેશનને યાદગાર બનાવવા ઈચ્છો છો? SVPI એરપોર્ટ પર કરાઈ શાનદાર વ્યવસ્થા

Share

Share

અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના અનુભવને બહેતર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. સમર વેકેશનમાં આપના પ્રવાસને સુપર કૂલ મનોરંજન સાથે યાદગાર બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.

આ સમર વેકેશનને આપ યાદગાર બનાવવા ઈચ્છો છો? શું આ વેકેશનના સંભારણાને આપ આકર્ષક સેલ્ફી અને ફેમીલી ફોટામાં ફ્રીઝ કરવાનું વિચારી રહ્યા છો? તો SVPI એરપોર્ટ પર તેની બરાબર તજવીજ કરવામાં આવી છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગની અંદર અને બહાર ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. 70-દિવસ ચાલનારા સમર કાર્નિવલની શરૂઆત 23મી એપ્રિલથી થઈ ચૂકી છે. મુસાફરો 30 થી વધુ આઉટલેટ્સ અને સેંકડો ડિસ્કાઉન્ટ ઑફર્સનો લાભ લઈ શકે છે.

આપના મિત્રો અને પરિવાર માટે સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તાથી લઈને વિવિધ ગિફ્ટિંગ વિકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં ફૂડ અને બેવરેજીસથી લઈને રિટેલ અને સર્વિસીઝ પર કોમ્બોઝનો લાભ લઈ શકો છે. નાસ્તો, ગ્વાલિયા, સબવે, મેકવી, હોકો ઈટેરી, રેર પ્લેનેટ અને સંકલ્પ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ સહિત કાર્નિવલમાં 30 થી વધુ આઉટલેટ્સ ભાગ લઈ રહ્યા છે; તેમાં દરેક માટે કંઈક સુપરકૂલ છે!

મુસાફરો સમર કાર્નિવલ દરમિયાન ખાસ આયોજિત જરદોશી અને ભરતકામ વર્કશોપ જેવી કેટલીય કલા પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. હસ્તકળાને લગતી પ્રવૃત્તિઓ સાથે આપના પ્રવાસનના અનુભવને આનંદદાયક બનાવવા એરપોર્ટ પર આકર્ષક સજાવટ, સેલ્ફી બૂથ અને એન્ગેજમેન્ટ કિઓસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરો માટે શોપીંગને સુલભ બનાવવા તાજેતરમાં અદાણી વન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેના થકી સમગ્ર એરપોર્ટ પરિસરમાં QR કોડ સ્કેન કરતાની સાથે જ એપ્લિકેશન અને વેબસાઇટ પર વિવિધ ઑફર્સ જાણી શકાય છે.

તો આવો, એરપોર્ટ પર આ અદ્ભુત અનુભવનો લાભ ઉઠાવો. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ- 2023 ની મજા માણો અને સમર વેકેશનની યાદોને ચિરંજીવી બનાવો!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...