Wednesday, March 18, 2026

ઘાટલોડીયાની કેલોરેક્સ સ્કૂલ નમાઝ વિવાદ પછી આજે એક દિવસ પૂરતી બંધ રાખવાનો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ઘાટલોડીયામાં આવેલ કેલોરેક્સ શાળામાં નમાઝ પઢવાને લઈને વિવાદ ઊભો થયો છે. ગઈકાલે થયેલ ભારે હોબાળા બાદ અને આ વિવાદ પછી આજે શાળા બંધ રહેવાના અહેવાલો સામે આવ્યા છે. આ અંગે મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાળા દ્વારા વાલીઓને મેસેજ દ્વારા આ રજા અંગેની જાણકારી આપવામાં આવી છે.સમગ્ર મામલે ભારે ઉહાપોહ બાદ આજે પણ પોલીસનો ભારે બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ઘાટલોડીયાની કેલોરેક્સ સ્કૂલ નમાઝ વિવાદ પછી આજે એક દિવસ પૂરતી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કેલોરેક્સ સ્કૂલ સંચાલકોએ વાલીઓને મેસેજથી જાણ પણ કરી દીધી છે. અગમ્યકારણોસર બંને પાળીમાં શાળા બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય કર્યો છે.જોકે શાળા બંધ રાખવામાં કેમ આવી છે તેનો કોઈ ઉલ્લેખ તેમાં નથી. હાલ અગમગ્ય કારણોસર શાળાની બંને પાળીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે.સમગ્ર મામલે ભારે ઉહાપોહ બાદ આજે પણ પોલીસનો ભારે બંદોબસ્ત ખડકી દેવાયો છે.

તમને જણાવી દઈએ કે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલમાં ઈદના તહેવાર પર બાળક પાસે નમાજ પઢાવવામાં આવી હતી અને અન્ય બાળકોને આ શીખવવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. વીડિયો વાલીઓ અને હિન્દુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ વિરોધ નોંધાવવા માટે સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ સ્કૂલ દ્વારા માફી પત્ર લખીને આપવામાં આવ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...