અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો મુકાબલો થશે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ વિશ્વકપની આ મેચ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. કારણ કે તેમાં ફિલ્મી સિતારા અને સિંગર્સ ચાર ચાંદ લગાવશે.
વર્લ્ડકપના પ્રારંભ વખતે વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની તો નહોતી યોજાઈ, પરંતુ IND vs PAKની મેચ દરમિયાન ઓપનિંગ સેરેમની જેવો જ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે.IND vs PAK મેચના દિવસે અમદાવાદમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને રજનીકાંત જેવા દિગ્ગજો હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ રણવીરસિંહ, તમન્ના ભાટિયા, આશા ભોંસલે અને અરિજિતસિંહ પરફોર્મ કરશે. પાકિસ્તાનની ટીમ હયાત હોટલમાં રોકાઇ છે. અહીં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલમાં આવનાર દરેક મુલાકાતીઓની નોંધણી કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન ભારે આતશબાજી અને લેસર શો યોજાવાની પણ શક્યતા છે. મહત્વનું છે કે IND vs PAKની ક્રિકેટ ટીમ મેચ રમવા માટે અમદાવાદ આવી ચૂકી છે. આજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અશરફ પણ આવશે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ પણ આજે અમદાવાદ પહોંચશે.


