અમદાવાદ : આગામી 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની હાઈ વૉલ્ટેજ મેચ યોજાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ જોવા એક લાખથી વધુ પ્રેક્ષકો આવવાના છે જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSની એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડશે પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મુકવામાં આવી છે. BRTSની પણ રૂટ ઉપરાંત 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.

AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે IND vs PAK ક્રિકેટ મેચને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSની એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડશે પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મુકવામાં આવી છે. BRTSની પણ રૂટ ઉપરાંત 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.



