Thursday, January 15, 2026

ગુજરાત સરકાર હાઉસિંગ સોસાયટીઓના નિયમન માટે લાવશે ખાસ બિલ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે. જેનાથી હાઉસિંગ સોસાયટીના સંચાલન અને કામગીરીમાં સુધારો આવી શકે છે. હાલમાં હાઉસિંગ સોસાયટીના લગતા નિયમોમાં ઘણી બધી વિસંગતતાઓ હોવાથી અનેક વાદ-વિવાદ થતા રહે છે. આથી ઘણા મુદ્દાઓનો ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.

અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ મુજબ વિધાનસભાના આગામી સત્રમાં આ ખરડો પ્રસ્તુત થાય તેવી શક્યતા છે. સરકાર હાઉસિંગ સોસાયટીઓને લગતી બાબતો માટે એક ઓથોરિટીની નિમણૂક કરે તેવી સંભાવના છે. એગ્રીકલ્ચરલ અથવા બીજી કોઓપરેટિવ સોસાયટીઓની તુલનામાં હાઉસિંગ સોસાયટીઓ અલગ રીતે ચાલતી હોય છે. હાઉસિંગ સોસાસટીઓ જે રીતે સંચાલિત થાય છે તેનાથી કરોડો લોકોને અસર થાય છે તેથી તેના માટે એક વિશેષ કાયદો હોવો જરૂરી છે. એક ખાસ ઓથોરિટી રચવામાં આવે તો હાઉસિંગ સોસાયટીઓના પ્રશ્નોનો વધુ સારી રીતે ઉકેલ આવી શકશે.

હાલમાં હાઉસિંગ સોસાયટીઓને કોઓપરેટિવ્સના રજિસ્ટ્રાર દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ તેમાં ઘણા મુદ્દા એવા છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. અત્યારે જે નિયમો છે તેના કારણે હાઉસિંગ સોસાયટીઓના મેમ્બર્સ વચ્ચે સતત તકરાર થાય છે.એક અધિકારીએ જણાવ્યું કે પ્રસ્તાવિત કાયદામાં ગવર્નન્સની મેટર, ચૂંટણી, કમિટીના સભ્યોની નિમણૂક, મકાન વેચતી વખતે થતા વિવાદો અને સોસાયટીના એકાઉન્ટનો સમાવેશ કરાવશે. આ ઉપરાંત ફાયર સેફ્ટી, ગટર વ્યવસ્થા વગેરે પણ તેમાં આવરી લેવામાં આવશે.

ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને એવું જોવા મળ્યું છે કે કોઓપરેટિવ રજિસ્ટ્રારની ઓફિસ પાસે એટલો મેનપાવર નથી કે તે તમામ વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ લાવી શકે. આ ઉપરાંત ઘણી હાઉસિંગ સોસાયટીઓ એવી છે જેના એકાઉન્ટ ઘણા વર્ષોથી ઓડિટ કરવામાં નથી આવ્યા.

ભારતમાં સૌ પ્રથમ 1904માં કોઓપરેટિવ સોસાયટી એક્ટ લાગુ થયો હતો અને તેમાં બેંગલોર બિલ્ડિંગ કોઓપરેટિવ સોસાયટીએ સૌથી પહેલાં 1909માં સહકારી હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી હતી. ત્યાર પછી 1912માં તે સમયની બ્રિટિશ સરકાર દ્વારા કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ ઘડવામાં આવ્યો હતો. હાઉસિંગ સોસાયટીઓ સ્વ-સહાય પહેલ અને સ્વ-નિર્ભરતા પર આધારિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...