Monday, November 10, 2025

ગુજરાત સરકાર હાઉસિંગ સોસાયટીઓના નિયમન માટે લાવશે ખાસ બિલ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે. જેનાથી હાઉસિંગ સોસાયટીના સંચાલન અને કામગીરીમાં સુધારો આવી શકે છે. હાલમાં હાઉસિંગ સોસાયટીના લગતા નિયમોમાં ઘણી બધી વિસંગતતાઓ હોવાથી અનેક વાદ-વિવાદ થતા રહે છે. આથી ઘણા મુદ્દાઓનો ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.

અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ મુજબ વિધાનસભાના આગામી સત્રમાં આ ખરડો પ્રસ્તુત થાય તેવી શક્યતા છે. સરકાર હાઉસિંગ સોસાયટીઓને લગતી બાબતો માટે એક ઓથોરિટીની નિમણૂક કરે તેવી સંભાવના છે. એગ્રીકલ્ચરલ અથવા બીજી કોઓપરેટિવ સોસાયટીઓની તુલનામાં હાઉસિંગ સોસાયટીઓ અલગ રીતે ચાલતી હોય છે. હાઉસિંગ સોસાસટીઓ જે રીતે સંચાલિત થાય છે તેનાથી કરોડો લોકોને અસર થાય છે તેથી તેના માટે એક વિશેષ કાયદો હોવો જરૂરી છે. એક ખાસ ઓથોરિટી રચવામાં આવે તો હાઉસિંગ સોસાયટીઓના પ્રશ્નોનો વધુ સારી રીતે ઉકેલ આવી શકશે.

હાલમાં હાઉસિંગ સોસાયટીઓને કોઓપરેટિવ્સના રજિસ્ટ્રાર દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ તેમાં ઘણા મુદ્દા એવા છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. અત્યારે જે નિયમો છે તેના કારણે હાઉસિંગ સોસાયટીઓના મેમ્બર્સ વચ્ચે સતત તકરાર થાય છે.એક અધિકારીએ જણાવ્યું કે પ્રસ્તાવિત કાયદામાં ગવર્નન્સની મેટર, ચૂંટણી, કમિટીના સભ્યોની નિમણૂક, મકાન વેચતી વખતે થતા વિવાદો અને સોસાયટીના એકાઉન્ટનો સમાવેશ કરાવશે. આ ઉપરાંત ફાયર સેફ્ટી, ગટર વ્યવસ્થા વગેરે પણ તેમાં આવરી લેવામાં આવશે.

ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને એવું જોવા મળ્યું છે કે કોઓપરેટિવ રજિસ્ટ્રારની ઓફિસ પાસે એટલો મેનપાવર નથી કે તે તમામ વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ લાવી શકે. આ ઉપરાંત ઘણી હાઉસિંગ સોસાયટીઓ એવી છે જેના એકાઉન્ટ ઘણા વર્ષોથી ઓડિટ કરવામાં નથી આવ્યા.

ભારતમાં સૌ પ્રથમ 1904માં કોઓપરેટિવ સોસાયટી એક્ટ લાગુ થયો હતો અને તેમાં બેંગલોર બિલ્ડિંગ કોઓપરેટિવ સોસાયટીએ સૌથી પહેલાં 1909માં સહકારી હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી હતી. ત્યાર પછી 1912માં તે સમયની બ્રિટિશ સરકાર દ્વારા કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ ઘડવામાં આવ્યો હતો. હાઉસિંગ સોસાયટીઓ સ્વ-સહાય પહેલ અને સ્વ-નિર્ભરતા પર આધારિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...