Wednesday, January 21, 2026

અમદાવાદમાં રિનોવેટ નવી બાલવાટિકાની એક મહિનામાં બે લાખ લોકોએ લીધી મુલાકાત, AMC એ કરી કમાણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે રિનોવેટ થયેલી બાલવાટિકા ફન કાર્નિવલ બાળકો અને તેમની સાથે માતા-પિતાને આકર્ષવામાં સફળ થયું છે. ફક્ત ઓક્ટોબરમાં જ લગભગ 2.75 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાને સારી આવક પણ થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયા તળાવ ખાતે બાલવાટિકા, એક ઐતિહાસિક ચિલ્ડ્રન પાર્ક, મૂળરૂપે 1956માં સ્થપાયેલ અને તાજેતરમાં જ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ અપગ્રેડ કરવામાં આવ્યું હતું, આ વર્ષની શરૂઆતમાં સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર અને વિવિધ સાહસિક રાઇડ્સ જેવી આકર્ષક નવી સુવિધાઓ સાથે તેના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. વર્ષો જૂનો કાંકરિયાની ઓળખસમો બાલવાટિકા ચિલ્ડ્રન્સ પાર્ક તાજેતરમાં PPP મોડેલ હેઠળ રિનોવેટ થયો હતો, જેમાં ઘણા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. આ પાર્કની મુલાકાત એક મહિનાના 28 વર્કિંગ ડેઝમાં કુલ, 2,74,849 મુલાકાતીઓએ લીધી હતી એટલે કે રોજના 9,816 જણ પાર્કમાં આવ્યા હતા.

દિવાળી પછીના સમયગાળા દરમિયાન 21 થી 26 ઓક્ટોબર દરમિયાન દૈનિક મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો. આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળી હતી, ત્યારબાદ આગામી છ દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા 20,000 ને વટાવી ગઈ હતી. 25ઓક્ટોબર, શનિવારનો દિવસ હતો, જ્યારે 32,367 લોકો અહીં આવ્યા હતા.

આ મુલાકાતીઓએ પાલિકાને કુલ રૂ. 84.51 લાખની કમાણી કરાવી છે, જેમાંથી અમુક રકમ ભાડાપેટે પણ પાલિકાને મળી હતી.દરમિયાન, કાંકરિયા લેકફ્રન્ટમાં 6.52 લાખ લોકો આવ્યા હતા, જેણે રૂ.59.96 લાખની થઈ કિડ્સ સિટીમાં 5277 મુલાકાતીઓ આવ્યા હતા, જેણે રૂ. 3.79 લાખ, જ્યારે લેકફ્રન્ટ ટ્રેનમાં 61305 મુસાફરોએ સફર કરી રૂ. 15.08 લાખની આવક પાલિકાને કરાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...