Wednesday, January 14, 2026

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવી શકે છે.વટહુકમનો મુસદો તૈયાર કરવા માટે નિષ્ણાંતોની કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે.

રાજય સરકારનાં ટોચના સુત્રોએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય તેવી શકયતા છે. તે પૂર્વે કોચીંગ કલાસો માટે રજીસ્ટ્રેશન, સલામતી, વિદ્યાર્થીઓની સંખ્યા, અભ્યાસનાં કલાકો સહિતના નિયમનો સાથેનો વટહુકમ બહાર પાડવાનો ઈરાદો છે.

સૂચિત વટહુકમમાં કેટલાંક મહત્વના પાસાઓને આવરી લેવામાં આવશે. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા વિદ્યાર્થી દીઠ કલાસમાં ન્યુનતમ જગ્યા, અધવચ્ચેથી કલાસ છોડે તો વિદ્યાર્થીઓને રીફંડ,શિક્ષક-વિદ્યાર્થીને ફરજીયાત અઠવાડીક રજા, વિદ્યાર્થીઓની માનસીક તંદુરસ્તી, કલાસની ઈમારતનાં કમ્પલીશન સર્ટીફીકેટ તથા ફાયર સેફટીનાં સાધનો જેવા પાસાઓનો સમાવેશ થશે.

રાજય સરકારનાં સીનીયર અધિકારીએ કહ્યું કે શિક્ષણ વિભાગ રાજસ્થાન તથા અન્ય રાજયોનાં કોચીંગ કલાસોનાં નિયમોનો અભ્યાસ કરી રહ્યો છે.સુપ્રિમ કોર્ટે જારી કરેલી સુચનાનાં આધારે કેન્દ્ર સરકારે નકકી કરેલી માર્ગદર્શિકા મુજબ સુચીવ વટહુકમમાં નિયમનો નકકી કરવામાં આવશે.

રસપ્રદ વાત એ છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા તથા અન્ય કેટલાંક રાજયોએ ઘડેલા કાયદામાં કોચીંગ કલાસનાં ફી નિયમન વિશે કોઈ વાત નથી. સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં કોચીંગ કલાસનું સરકારમાં કોઈ રજીસ્ટ્રેશન થતુ નથી અને તેના દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક સવા લાખથી સવા બે લાખ સુધી ફી વસુલવામાં આવે છે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ સુચિત વટહુકમ તૈયાર કરવામાં આવે તો કોચીંગ કલાસો ધો.10 થી નીચેના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે.

ગુજરાતમાં કોચીંગ કલાસનો ડેટાબેઈઝ મેળવવા ઉપરાંત વિદ્યાર્થીઓ સુરક્ષિત અને તંદુરસ્ત માહોલમાં અભ્યાસ કરી શકે તેવો સરકારનો આશય છે. ભણતરનાં ભાર તથા વાલીઓની ઉંચી અપેક્ષામાં કારણે ટેન્શનમાં આવતા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે.

તેની ગંભીર નોંધ લેવાય રહી છે.આ સિવાય સુધીમાં કોચીંગ કલાસમાં અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ત્યારે કલાસોમાં સુરક્ષા મામલે સવાલ ઉઠયા હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...