Wednesday, November 19, 2025

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવી શકે છે.વટહુકમનો મુસદો તૈયાર કરવા માટે નિષ્ણાંતોની કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે.

રાજય સરકારનાં ટોચના સુત્રોએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય તેવી શકયતા છે. તે પૂર્વે કોચીંગ કલાસો માટે રજીસ્ટ્રેશન, સલામતી, વિદ્યાર્થીઓની સંખ્યા, અભ્યાસનાં કલાકો સહિતના નિયમનો સાથેનો વટહુકમ બહાર પાડવાનો ઈરાદો છે.

સૂચિત વટહુકમમાં કેટલાંક મહત્વના પાસાઓને આવરી લેવામાં આવશે. જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા વિદ્યાર્થી દીઠ કલાસમાં ન્યુનતમ જગ્યા, અધવચ્ચેથી કલાસ છોડે તો વિદ્યાર્થીઓને રીફંડ,શિક્ષક-વિદ્યાર્થીને ફરજીયાત અઠવાડીક રજા, વિદ્યાર્થીઓની માનસીક તંદુરસ્તી, કલાસની ઈમારતનાં કમ્પલીશન સર્ટીફીકેટ તથા ફાયર સેફટીનાં સાધનો જેવા પાસાઓનો સમાવેશ થશે.

રાજય સરકારનાં સીનીયર અધિકારીએ કહ્યું કે શિક્ષણ વિભાગ રાજસ્થાન તથા અન્ય રાજયોનાં કોચીંગ કલાસોનાં નિયમોનો અભ્યાસ કરી રહ્યો છે.સુપ્રિમ કોર્ટે જારી કરેલી સુચનાનાં આધારે કેન્દ્ર સરકારે નકકી કરેલી માર્ગદર્શિકા મુજબ સુચીવ વટહુકમમાં નિયમનો નકકી કરવામાં આવશે.

રસપ્રદ વાત એ છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા તથા અન્ય કેટલાંક રાજયોએ ઘડેલા કાયદામાં કોચીંગ કલાસનાં ફી નિયમન વિશે કોઈ વાત નથી. સુત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં કોચીંગ કલાસનું સરકારમાં કોઈ રજીસ્ટ્રેશન થતુ નથી અને તેના દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક સવા લાખથી સવા બે લાખ સુધી ફી વસુલવામાં આવે છે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ સુચિત વટહુકમ તૈયાર કરવામાં આવે તો કોચીંગ કલાસો ધો.10 થી નીચેના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે.

ગુજરાતમાં કોચીંગ કલાસનો ડેટાબેઈઝ મેળવવા ઉપરાંત વિદ્યાર્થીઓ સુરક્ષિત અને તંદુરસ્ત માહોલમાં અભ્યાસ કરી શકે તેવો સરકારનો આશય છે. ભણતરનાં ભાર તથા વાલીઓની ઉંચી અપેક્ષામાં કારણે ટેન્શનમાં આવતા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે.

તેની ગંભીર નોંધ લેવાય રહી છે.આ સિવાય સુધીમાં કોચીંગ કલાસમાં અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ત્યારે કલાસોમાં સુરક્ષા મામલે સવાલ ઉઠયા હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...