Wednesday, November 19, 2025

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

spot_img
Share

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પરિક્રમા બંધ રહેવાના કારણે ભાવિકોની આસ્થાને મોટો આંચકો લાગ્યો છે પરંતુ, ગિરનારી બાપુની કૃપા મેળવવાની ઇચ્છા ભક્તોમાં ઓછી થઈ નથી. ઘણા ભાવિકોએ પરિક્રમા રૂટ પર જવાને બદલે ગિરનાર પર્વત ચડવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, ગિરનાર પર્વત ચડવા માટેના પગથિયાં પર ભાવિકોનું ધોડાપૂર ઉમટ્યું છે અને ભારે ભીડ જોવા મળી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે જાહેર જનતા માટે સ્થગિત કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સત્તાવાર નિર્ણય લીધો છે. દર વર્ષે ગિરનાર જંગલના 36 કિલોમીટરના કઠિન માર્ગ પર યોજાતી આ મહા પરિક્રમા માટે આ વર્ષે વરસાદે વિઘ્ન ઊભું કર્યું છે, જેના કારણે રૂટના રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ જઈને કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે. આ સ્થિતિ ભાવિકોની સુવિધા અને સલામતી માટે અત્યંત જોખમી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

શ્રદ્ધાળુઓએ માત્ર એક દિવસ માટે પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત જો પરવાનગી ન મળે તો ઘણા શ્રદ્ધાળુઓએ પ્રતીકાત્મક રીતે ગિરનાર પર્વત ચડીને પોતાની યાત્રા પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં આવેલો પરિક્રમાનો પ્રવેશદ્વાર, ઈટવા ગેટ, બંધ કરી દેવાયો હતો અને પોલીસ તેમજ વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે તેમ છતાં, લાખો શ્રદ્ધાળુઓ હજી પણ પરિક્રમા શરૂ થશે તેવી આશા સાથે ભવનાથ ક્ષેત્રમાં આવી રહ્યા છે.

ભક્તોના કહેવા મુજબ ગિરનારની લીલી પરિક્રમા માત્ર આસ્થાનું જ નહીં, પણ હજારો સેવાભાવી સંસ્થાઓ માટે સેવાનો અવસર છે. પરિક્રમા સ્થગિત થવાની ગંભીર અસર અન્નક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાકીય સંસ્થાઓ પર પણ પડી છે. ભાવિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોવા છતાં, ગિરનારી બાપુ પરની આસ્થા અકબંધ છે અને ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ આશા સેવી રહ્યા છે કે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા ઓછામાં ઓછા એક દિવસ માટે પણ પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...