Tuesday, January 20, 2026

અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોશીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો

spot_img
Share

અમદાવાદ : ઇન્ડિયન ઍસોસિએશન ઓફ પિડિયાટ્રિક સર્જન્સની જગન્નાથપુરીમાં યોજાયેલી 60મી ડાયમંડ જ્યુબિલી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોષીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને ઈન્ડિયન એસોસિએશન ઑફ પેડિયાટ્રિક સર્જન્સ દ્વારા રચવામાં આવેલ પ્રથમ ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ઓડિશામાં જગન્નાથ પુરીમાં ચાલી રહેલા IAPSCON 2025માં આપવામાં આવ્યો હતો.

છેલ્લા બે દાયકાથી ડૉ. જોશીએ પિડિયાટ્રિક સર્જરી વિભાગને મુત્રાશય એક્સસ્ટ્રોફી અને એડવાન્સ્ડ પિડિયાટ્રિક યુરોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કર્યું છે. 17 આંતરરાષ્ટ્રીય વર્કશોપ દ્વારા 300થી વધુ જટિલ એક્સસ્ટ્રોફી-એપિસ્પાડિયા કેસોની સર્જરી અને સારવાર કરી છે.

આ એવોર્ડ ક્લિનિકલ શ્રેષ્ઠતા, દૂરંદેશી નેતૃત્વ અને માનવતાવાદી સેવા આપવા માટે આ[આપવામાં આવ્યો છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સમાં, ડૉ. જોશીએ એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, ફેકલ્ટી અને માર્ગદર્શક તરીકે સેવા આપી છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના અંગ દાન કાર્યક્રમના તેમના આગવા નેતૃત્વથી 644 થી વધુ સફળ અંગ દાન પ્રાપ્ત કરીને, અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે ટોચનો સ્થાન તેમણે અપાવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...