Saturday, March 7, 2026

અમદાવાદમાં ભરવાડ સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, નવા વાડજ ગામની ટીમ વિજેતા, એક કિલો ચાંદીની ટ્રોફી અપાઈ

spot_img
Share

(માનવ જાેષી દ્વારા) અમદાવાદ : પૌરાણિક સમયથી જે જ્ઞાતિઓએ કૃષ્ણ ભગવાનના પશુપાલનના વ્યવસાયને જીવન નિર્વાહ માટે પસંદ કર્યો, તેવા ભરવાડ સમાજ પણ સાંપ્રત સમયમાં શિક્ષણ, કલા રમતગમત તથા સામાજિક ઉત્થાન ક્ષેત્રે ખૂબ જ કાર્યશીલ છે..આ કથનને સાર્થક કરતી એક ઉત્કૃષ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભરવાડ સમાજ દ્વારા ભરવાડ સમાજના નિખિલ, ગૌરવ, અક્ષય અને રૂપેશ ભરવાડ જેવા ઉત્સાહી યુવાનોએ સમાજને એકત્ર કરવાનું અને ક્રિકેટના માધ્યમથી સમાજને જાગૃત કરવાનું ઉત્તમ કાર્ય હાથમાં લીધું..અલગ અલગ ગામની 32 ક્રિકેટ ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો.. દરેક ક્રિકેટ ટીમને આયોજકો તરફથી ટીશર્ટ એક વિશેષ ઓળખ તરીકે વહેંચવામાં આવી..

ફાઈનલમાં નવા વાડજ ગામની ટીમના ભવ્ય વિજય બાદ મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ નારણપુરા પ્રગતિનગરથી લઈને નવા વાડજ ગામ સુધી બાઈક રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 16 દિવસ ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલદિલીની ઉત્તમ ભાવનાના દર્શન થયા. શ્રી જયંતીભાઈ સુરાભાઈ ભરવાડ, શ્રી કાળુભાઈ ભરવાડ, શ્રી મુકેશભાઈ ભરવાડ તથા આ સિવાય ઘણા સમાજના આગેવાનોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટને આર્થિક અને માનસિક પીઠબળ પૂરું પાડ્યું.. ટુર્નામેન્ટની વિજેતા ટીમ વાડજ ગામની ક્રિકેટ ટીમને એક કિલો ચાંદીની ટ્રોફી, તથા મેન ઓફ ધ સિરીઝ બનનાર ખેલાડીને 400 ગ્રામની ચાંદીની ટ્રોફી ઉપસ્થિત આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવી..

ટુર્નામેન્ટના મુખ્ય આયોજક એવા શ્રી નિખિલભાઇ ભરવાડનું કહેવું છે કે,અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનો ભેગા થાય અને ભવિષ્યમાં ભરવાડ સમાજ ભણતરની સાથે વ્યક્તિત્વ-વિકાસના દરેક પાસાનો વિકાસ કરે એવો હતો.. સમગ્ર ટુર્નામેન્ટના આયોજન, સંચાલન અને પૂર્ણાહુતિ સમયે અમારા ધ્યેયને સાર્થક કરનારો ભાવ સમાજના દરેક વ્યક્તિના ચહેરા પર સ્પષ્ટ છલકાતો હતો..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...