Wednesday, January 14, 2026

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

spot_img
Share

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુને મુશ્કેલી પડી શકે છે, જેથી વહીવટી તંત્ર અન સાધુ સંતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. હવે સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે.

સાધુ-સંતો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવે માત્ર પ્રતીકાત્મક પરિક્રમા યોજાશે, જેમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો ભાગ લેશે. ઇન્દ્રભારતી બાપુએ ભાવિકોને સંદેશ આપ્યો કે તેઓ પોતાના ઘરમાં જ આસ્થાપૂર્વક પરિક્રમા કરે અને માતા-પિતાના આશીર્વાદથી ધાર્મિક નિયમો પાળે.પરિક્રમા રૂટ પર ભારે વરસાદના કારણે કાદવ અને કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ તૂટી ગયેલા છે અને ભારે વાહનો ફસાઈ જવાની સ્થિતિમાં છે. ભાવિકોની સલામતી જોખમાય તેવી સ્થિતિને જોતા તંત્રએ આ વર્ષ માટે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

જંગલમાં ભીનાશ અને ઠંડીના કારણે રાત્રિ રોકાણ કરનાર ભાવિકો માટે અગવડતા ઉભી થઈ છે. સૂકા લાકડાનો અભાવ હોવાથી ભોજન બનાવવામાં મુશ્કેલી પડે છે, જેને કારણે અન્નક્ષેત્રોને પણ ભારે તકલીફો ભોગવવી પડી રહી છે.ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રી મેળો જૂનાગઢના અર્થતંત્ર માટે કરોડો રૂપિયાનું બૂસ્ટર છે. આ વર્ષે પરિક્રમા રદ થવાથી દાણાપીઠના વેપારીઓ, હોટેલ વ્યવસાયીઓ, અન્નક્ષેત્રો અને નાના કારીગરોને મોટું આર્થિક નુકસાન થશે. હજારો કિલો અનાજ અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક તૈયાર રાખનાર વેપારીઓ હવે ભારે નુકસાનમાં જશે.દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લે છે. પરંતુ વરસાદી માહોલ અને માર્ગની ખરાબ હાલતને કારણે આ વર્ષે તેઓ નિરાશ થયા છે. અનેક વેપારીઓ અને સેવાધારી મંડળો જે આ મેળાથી વાર્ષિક આવક મેળવે છે, તેઓ પણ આર્થિક મુશ્કેલીમાં છે.

ગિરનાર પરિક્રમા માત્ર યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો પ્રતીક છે. આ યાત્રા કારતક મહિનામાં યોજાય છે અને પાંચ દિવસ ચાલે છે. ભવનાથથી શરૂ થઈ બોરદેવી સુધીની આ પરિક્રમા હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે પુણ્યનું કારણ રહી છે.આ વર્ષે ભલે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર ભાવિકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...