Wednesday, April 15, 2026

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

spot_img
Share

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુને મુશ્કેલી પડી શકે છે, જેથી વહીવટી તંત્ર અન સાધુ સંતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. હવે સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે.

સાધુ-સંતો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવે માત્ર પ્રતીકાત્મક પરિક્રમા યોજાશે, જેમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો ભાગ લેશે. ઇન્દ્રભારતી બાપુએ ભાવિકોને સંદેશ આપ્યો કે તેઓ પોતાના ઘરમાં જ આસ્થાપૂર્વક પરિક્રમા કરે અને માતા-પિતાના આશીર્વાદથી ધાર્મિક નિયમો પાળે.પરિક્રમા રૂટ પર ભારે વરસાદના કારણે કાદવ અને કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ તૂટી ગયેલા છે અને ભારે વાહનો ફસાઈ જવાની સ્થિતિમાં છે. ભાવિકોની સલામતી જોખમાય તેવી સ્થિતિને જોતા તંત્રએ આ વર્ષ માટે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

જંગલમાં ભીનાશ અને ઠંડીના કારણે રાત્રિ રોકાણ કરનાર ભાવિકો માટે અગવડતા ઉભી થઈ છે. સૂકા લાકડાનો અભાવ હોવાથી ભોજન બનાવવામાં મુશ્કેલી પડે છે, જેને કારણે અન્નક્ષેત્રોને પણ ભારે તકલીફો ભોગવવી પડી રહી છે.ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રી મેળો જૂનાગઢના અર્થતંત્ર માટે કરોડો રૂપિયાનું બૂસ્ટર છે. આ વર્ષે પરિક્રમા રદ થવાથી દાણાપીઠના વેપારીઓ, હોટેલ વ્યવસાયીઓ, અન્નક્ષેત્રો અને નાના કારીગરોને મોટું આર્થિક નુકસાન થશે. હજારો કિલો અનાજ અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક તૈયાર રાખનાર વેપારીઓ હવે ભારે નુકસાનમાં જશે.દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લે છે. પરંતુ વરસાદી માહોલ અને માર્ગની ખરાબ હાલતને કારણે આ વર્ષે તેઓ નિરાશ થયા છે. અનેક વેપારીઓ અને સેવાધારી મંડળો જે આ મેળાથી વાર્ષિક આવક મેળવે છે, તેઓ પણ આર્થિક મુશ્કેલીમાં છે.

ગિરનાર પરિક્રમા માત્ર યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો પ્રતીક છે. આ યાત્રા કારતક મહિનામાં યોજાય છે અને પાંચ દિવસ ચાલે છે. ભવનાથથી શરૂ થઈ બોરદેવી સુધીની આ પરિક્રમા હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે પુણ્યનું કારણ રહી છે.આ વર્ષે ભલે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર ભાવિકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...