Wednesday, November 19, 2025

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

spot_img
Share

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુને મુશ્કેલી પડી શકે છે, જેથી વહીવટી તંત્ર અન સાધુ સંતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. હવે સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે.

સાધુ-સંતો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવે માત્ર પ્રતીકાત્મક પરિક્રમા યોજાશે, જેમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો ભાગ લેશે. ઇન્દ્રભારતી બાપુએ ભાવિકોને સંદેશ આપ્યો કે તેઓ પોતાના ઘરમાં જ આસ્થાપૂર્વક પરિક્રમા કરે અને માતા-પિતાના આશીર્વાદથી ધાર્મિક નિયમો પાળે.પરિક્રમા રૂટ પર ભારે વરસાદના કારણે કાદવ અને કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ તૂટી ગયેલા છે અને ભારે વાહનો ફસાઈ જવાની સ્થિતિમાં છે. ભાવિકોની સલામતી જોખમાય તેવી સ્થિતિને જોતા તંત્રએ આ વર્ષ માટે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

જંગલમાં ભીનાશ અને ઠંડીના કારણે રાત્રિ રોકાણ કરનાર ભાવિકો માટે અગવડતા ઉભી થઈ છે. સૂકા લાકડાનો અભાવ હોવાથી ભોજન બનાવવામાં મુશ્કેલી પડે છે, જેને કારણે અન્નક્ષેત્રોને પણ ભારે તકલીફો ભોગવવી પડી રહી છે.ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રી મેળો જૂનાગઢના અર્થતંત્ર માટે કરોડો રૂપિયાનું બૂસ્ટર છે. આ વર્ષે પરિક્રમા રદ થવાથી દાણાપીઠના વેપારીઓ, હોટેલ વ્યવસાયીઓ, અન્નક્ષેત્રો અને નાના કારીગરોને મોટું આર્થિક નુકસાન થશે. હજારો કિલો અનાજ અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક તૈયાર રાખનાર વેપારીઓ હવે ભારે નુકસાનમાં જશે.દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લે છે. પરંતુ વરસાદી માહોલ અને માર્ગની ખરાબ હાલતને કારણે આ વર્ષે તેઓ નિરાશ થયા છે. અનેક વેપારીઓ અને સેવાધારી મંડળો જે આ મેળાથી વાર્ષિક આવક મેળવે છે, તેઓ પણ આર્થિક મુશ્કેલીમાં છે.

ગિરનાર પરિક્રમા માત્ર યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો પ્રતીક છે. આ યાત્રા કારતક મહિનામાં યોજાય છે અને પાંચ દિવસ ચાલે છે. ભવનાથથી શરૂ થઈ બોરદેવી સુધીની આ પરિક્રમા હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે પુણ્યનું કારણ રહી છે.આ વર્ષે ભલે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર ભાવિકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...