Thursday, January 22, 2026

કાંકરિયા પાસે એકા ક્લબમાં કાર્યક્રમ વખતે દીવાલ ધરાશાયી, લોકોમાં નાસભાગ, કોઈ જાનહાનિ નહિ

spot_img
Share

અમદાવાદ : કાંકરિયા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. આ વિસ્તારમાં આવેલા એકા ક્લબમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે ક્લબની એક દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. અને સ્થાનિક ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયાના એકા ક્લબ ખાતે આજે પાંચમાં આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનો પહેલો દિવસ હતો. આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવેલા છત્તીસગઢના કેબિનેટ પ્રધાન મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. એવા સમયે અચાનક દીવાલ તૂટવાનો અવાજ આવ્યો હતો. ક્લબના પાંચમા માળે આવેલા સ્વિમિંગ પૂલની દીવાલ તૂટી પડી હતી. પરિણામે પાણી મોટા પ્રમાણમાં લીક થવા માડ્યું હતું.

દીવાલ તૂટવાની ઘટનાને પગલે એક્ઝિબિશનમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભારે નાસભાગ થઈ હતી. જોકે, તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પૂલનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે દુકાનો અને શો રૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કેટલાક લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કોઈ મોટી જાનહાનિ થઈ હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...