Tuesday, September 16, 2025

કાંકરિયા કાર્નિવલ 2023નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય શુભારંભ, રામ મંદિર સાથે સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર

Share

Share

અમદાવાદ : ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓ જે કાંકરિયા કાર્નિવલની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આજે આવી ગયો. અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સીએમનાં હસ્તે 216 કરોડનાં કાર્યોનાં ઈ લોકાર્પણ અના ખાતમૂર્હત કર્યા હતા. 14 કરોડનાં ખર્ચે રીડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી. એઈડ્સની માહિતી માટેની ડિઝીટલ બુકનું વિમોચન કરાયું હતું.

મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ 2023ને આજે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અમદાવાદ મેયર સાથે અન્ય AMCના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કાર્નિવલમાં ભગવાન રામના ધનુષની થીમ પર ગેટ બનાવાયો છે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો મૂકવામાં આવી છે.

આ વખતે કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ 3 સ્ટેજ પર અલગ અલગ આકર્ષણ બને તેવી વસ્તુ જોવા મળશે. તેમ સ્ટેજ 1 પર પુષ્પકુંજ સ્ટેજ 2 પર બાલવાટિકા અને સ્ટેજ 3 પર વ્યાયામ વિદ્યાલય પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તે સિવાય સ્વચ્છ ભારત, મારું શહેર-સ્વચ્છ શહેર સેલ્ફી પોઇન્ટ અને ચંદ્રયાન અને રામ મંદિરના સેલ્ફી પોઇન્ટ, પ્રવેશ દ્વાર પર રામ ધનુષ્યનું પ્રતિક જેવી અનેક વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાંકરિયા કાર્નિવલ 2023માં રોક બેન્ડ, ડાન્સ પર્ફોર્મન્સ, લોક સાહિત્ય ડાયરો, ડ્રામા પર્ફોર્મન્સ, ડોગ શો, યોગા, હાસ્ય દરબાર, મેજીક શો, લેસર બીમ શો સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ યાદ કરતાં કહ્યું આજે આપડા પૂર્વ વડાપ્રધાનની જન્મ તિથિ છે. તેમણે આગળ કહ્યું વડાપ્રધાનએ પોતાના વિશન અને સુશાસન થકી વિકાસ કર્યો છે. PM મોદીએ વર્ષ 2008થી કાર્નિવલ શરૂ કર્યો હતો. અહીયા લોકો આં કાર્નિવલની રાહ જોવે છે. કાંકરિયા કાર્નિવલ વિશ્વ વિખ્યાત થયો છે. આ કાંકરિયા કાર્નિવલ હવે વર્લ્ડ હેરિટેજ બન્યું છે. કાંકરિયાની જૂની ઓળખને કાંકરિયા કાર્નિવલ થકી નવી ઓળખ મળી છે. છેલ્લા ચૌદ વર્ષમાં અનેક લોકોએ આ કાંકરિયાની મુલાકાત લીધી છે. કાંકરિયા કાર્નિવલના સુંદર આયોજન માટે તમામ AMCની ટીમને શુભેચ્છા આપુ છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...