Thursday, January 15, 2026

કાંકરિયા કાર્નિવલ 2023નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય શુભારંભ, રામ મંદિર સાથે સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર

spot_img
Share

અમદાવાદ : ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓ જે કાંકરિયા કાર્નિવલની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આજે આવી ગયો. અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સીએમનાં હસ્તે 216 કરોડનાં કાર્યોનાં ઈ લોકાર્પણ અના ખાતમૂર્હત કર્યા હતા. 14 કરોડનાં ખર્ચે રીડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી. એઈડ્સની માહિતી માટેની ડિઝીટલ બુકનું વિમોચન કરાયું હતું.

મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ 2023ને આજે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અમદાવાદ મેયર સાથે અન્ય AMCના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કાર્નિવલમાં ભગવાન રામના ધનુષની થીમ પર ગેટ બનાવાયો છે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો મૂકવામાં આવી છે.

આ વખતે કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ 3 સ્ટેજ પર અલગ અલગ આકર્ષણ બને તેવી વસ્તુ જોવા મળશે. તેમ સ્ટેજ 1 પર પુષ્પકુંજ સ્ટેજ 2 પર બાલવાટિકા અને સ્ટેજ 3 પર વ્યાયામ વિદ્યાલય પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તે સિવાય સ્વચ્છ ભારત, મારું શહેર-સ્વચ્છ શહેર સેલ્ફી પોઇન્ટ અને ચંદ્રયાન અને રામ મંદિરના સેલ્ફી પોઇન્ટ, પ્રવેશ દ્વાર પર રામ ધનુષ્યનું પ્રતિક જેવી અનેક વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાંકરિયા કાર્નિવલ 2023માં રોક બેન્ડ, ડાન્સ પર્ફોર્મન્સ, લોક સાહિત્ય ડાયરો, ડ્રામા પર્ફોર્મન્સ, ડોગ શો, યોગા, હાસ્ય દરબાર, મેજીક શો, લેસર બીમ શો સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ યાદ કરતાં કહ્યું આજે આપડા પૂર્વ વડાપ્રધાનની જન્મ તિથિ છે. તેમણે આગળ કહ્યું વડાપ્રધાનએ પોતાના વિશન અને સુશાસન થકી વિકાસ કર્યો છે. PM મોદીએ વર્ષ 2008થી કાર્નિવલ શરૂ કર્યો હતો. અહીયા લોકો આં કાર્નિવલની રાહ જોવે છે. કાંકરિયા કાર્નિવલ વિશ્વ વિખ્યાત થયો છે. આ કાંકરિયા કાર્નિવલ હવે વર્લ્ડ હેરિટેજ બન્યું છે. કાંકરિયાની જૂની ઓળખને કાંકરિયા કાર્નિવલ થકી નવી ઓળખ મળી છે. છેલ્લા ચૌદ વર્ષમાં અનેક લોકોએ આ કાંકરિયાની મુલાકાત લીધી છે. કાંકરિયા કાર્નિવલના સુંદર આયોજન માટે તમામ AMCની ટીમને શુભેચ્છા આપુ છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...