Friday, November 28, 2025

અમદાવાદના આ પરિવારે રામ મંદિરમાં 20 પ્રસાદ વેન્ડીગ મશીન આપ્યા ભેટમાં, રામ ભક્તોને ઓટોમેટિક પ્રસાદ મળશે

spot_img
Share

અમદાવાદ : 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બહુપ્રતિક્ષિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમ પહેલા જ દેશના ખુણેખુણેથી રામ મંદિર સેવા ટ્રસ્ટને ભેટો પહોંચી રહી છે. શ્રીરામ મંદિર માટે ગુજરાતીઓએ અનેક ભેટ-સોગાદ મોકલાવી છે. અમદાવાદમાંથી નમસ્તે ગ્રૂપ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીન બનાવાયું છે. જેવો કોઈ શ્રદ્ધાળુ આ મશીન આગળ હાથ ધરે એટલે તરત જ એના હાથમાં પ્રસાદનું પેકેટ મળી જાય.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના મંદિરમાં ધ્વજ દંડ, નગારું, 108 ફુટ અગરબતી બાદ અમદાવાદના શાહ પરિવારે 20 પ્રસાદ વેન્ડીગ મશીન ભેટમાં આપ્યા છે. આ 20 પ્રસાદ વેન્ડીગ મશીન અયોધ્યા રામલલ્લા મંદિર પરિસરમાં મુકાશે. જેનાથી દેશ દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુંઓને પ્રસાદ અપાશે. “નમસ્તેજી“ પ્રસાદ વેન્ડીંગ મશીન નામ આપવામાં અપાયું છે. ભગવાન શ્રીરામ તેમના ભક્તોને પ્રસાદ આપતા હોય તેવો અહોભાવ ઉભા કરાશે.અને સેન્સરના માધ્યમથી ઓટોમેટિક આ પ્રસાદ મશીન ચાલશે.

“નમસ્તેજી“ પ્રસાદ વેન્ડીંગ મશીન દ્વારા દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પાઉચ બહાર નિકળશે. આ વેન્ડીંગ મશીનની ખિસયતની વાત કરીએ તો 6 ફુટ ઉંચાઇ અને 3 ફુટ બાય ૨*૫ ફુટ મશીન સાઇઝ છે. પ્રસાદ મશીનમાં 1200 થી 1400 પ્રસાદ પેકેટની ક્ષમતા છે. રામ ભક્તોનાં ધસારાને ધ્યાનમાં રાખી વધુ મશીન પણ મુકાશે. હાલમાં 20 વેન્ડિંગ મશીન અમદાવાદથી અયોધ્યા મોકલાઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...