Monday, March 9, 2026

અમદાવાદના આ પરિવારે રામ મંદિરમાં 20 પ્રસાદ વેન્ડીગ મશીન આપ્યા ભેટમાં, રામ ભક્તોને ઓટોમેટિક પ્રસાદ મળશે

spot_img
Share

અમદાવાદ : 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બહુપ્રતિક્ષિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમ પહેલા જ દેશના ખુણેખુણેથી રામ મંદિર સેવા ટ્રસ્ટને ભેટો પહોંચી રહી છે. શ્રીરામ મંદિર માટે ગુજરાતીઓએ અનેક ભેટ-સોગાદ મોકલાવી છે. અમદાવાદમાંથી નમસ્તે ગ્રૂપ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીન બનાવાયું છે. જેવો કોઈ શ્રદ્ધાળુ આ મશીન આગળ હાથ ધરે એટલે તરત જ એના હાથમાં પ્રસાદનું પેકેટ મળી જાય.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના મંદિરમાં ધ્વજ દંડ, નગારું, 108 ફુટ અગરબતી બાદ અમદાવાદના શાહ પરિવારે 20 પ્રસાદ વેન્ડીગ મશીન ભેટમાં આપ્યા છે. આ 20 પ્રસાદ વેન્ડીગ મશીન અયોધ્યા રામલલ્લા મંદિર પરિસરમાં મુકાશે. જેનાથી દેશ દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુંઓને પ્રસાદ અપાશે. “નમસ્તેજી“ પ્રસાદ વેન્ડીંગ મશીન નામ આપવામાં અપાયું છે. ભગવાન શ્રીરામ તેમના ભક્તોને પ્રસાદ આપતા હોય તેવો અહોભાવ ઉભા કરાશે.અને સેન્સરના માધ્યમથી ઓટોમેટિક આ પ્રસાદ મશીન ચાલશે.

“નમસ્તેજી“ પ્રસાદ વેન્ડીંગ મશીન દ્વારા દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પાઉચ બહાર નિકળશે. આ વેન્ડીંગ મશીનની ખિસયતની વાત કરીએ તો 6 ફુટ ઉંચાઇ અને 3 ફુટ બાય ૨*૫ ફુટ મશીન સાઇઝ છે. પ્રસાદ મશીનમાં 1200 થી 1400 પ્રસાદ પેકેટની ક્ષમતા છે. રામ ભક્તોનાં ધસારાને ધ્યાનમાં રાખી વધુ મશીન પણ મુકાશે. હાલમાં 20 વેન્ડિંગ મશીન અમદાવાદથી અયોધ્યા મોકલાઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...