Tuesday, April 28, 2026

અમદાવાદમાં પાણીકાપ ? આ વિસ્તારના લોકો ખાસ ધ્યાન રાખજો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વિસ્તારમાં આગામી દિવસોમાં પાણીકાપ રહેશે. જેમાં ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 7 ફેબ્રુઆરી પાણીકાપ છે. તેમજ પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ઝોનમાં 8 ફેબ્રુઆરી પાણીકાપ છે. ઉત્તર, મધ્ય, પૂર્વ,પશ્ચિમ ઝોનમાં 13 ફેબ્રુઆરીએ પાણીકાપ રહેશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા વીજળી બિલમાં જંગી ઘટાડો કરવાની નેમ સાતે ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 2 હજાર કિ. વોટની કેપેસિટીની લગાવેલ સોલાર પેનલના ઇન્ટરકનેક્શન માટે 5થી 6 કલાક માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે શહેરના સાતેય ઝોનમાં જુદા-જુદા દિવસે પાણી ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી પુરું પાડવામાં આવશે. તારીખ 6 થી 9 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરીના રોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રાખવામાં આવશે. તેના કારણે એક-એક દિવસ પાણી કાપની અસર જોવા મળશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રહેવાથી સાત ઝોનમાં પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં મોકલી શકાશે નહીં.

દરેક વોર્ડમાં બનાવેલી પાણીની ટાંકીઓ અગાઉથી ભરી રાખવા અને જરૂર પડે તો બોરવેલ ચલાવીને પણ નાગરિકોને પાણી પુરું પાડવાની સૂચના આપવામાં આવી છે. વોટર કમિટી ચેરમેન દિલીપભાઇ બગડીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પીવાનું પાણી પુરું પાડવા તથા ગટના પાણીના નિકાલ માટે મોટા પ્રમાણમાં વીજનો ઉપયોગ થાય છે. જેની કોસ્ટ પણ સતત વધી રહી છે. ત્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં જમીન પર લગાવેલ સોલાર પેનલથી એએમસી વર્ષે 16થી 20 લાખ વીજ યુનિટની બચત થશે અને કાર્બન ઉત્સર્જમાં ઘટાડો થશે.

વોટર કમિટી ચેરમેને વધુ માહિતી આપતાં કહ્યું કે, સમગ્ર શહેરને પીવાનું પાણી શુદ્ધ કરીને પૂરૂ પાડતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને એક સાથે બંધ રાખવામા આવે તો મોટી સમસ્યા સર્જાય તેમ હોઇ બધાને અલગ અલગ દિવસે પાંચ છ કલાક માટે બંધ રાખી વીજ જોડાણ કરવાનો નિર્ણય લેવાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...