Saturday, January 24, 2026

અમદાવાદમાં પાણીકાપ ? આ વિસ્તારના લોકો ખાસ ધ્યાન રાખજો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વિસ્તારમાં આગામી દિવસોમાં પાણીકાપ રહેશે. જેમાં ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 7 ફેબ્રુઆરી પાણીકાપ છે. તેમજ પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ઝોનમાં 8 ફેબ્રુઆરી પાણીકાપ છે. ઉત્તર, મધ્ય, પૂર્વ,પશ્ચિમ ઝોનમાં 13 ફેબ્રુઆરીએ પાણીકાપ રહેશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા વીજળી બિલમાં જંગી ઘટાડો કરવાની નેમ સાતે ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 2 હજાર કિ. વોટની કેપેસિટીની લગાવેલ સોલાર પેનલના ઇન્ટરકનેક્શન માટે 5થી 6 કલાક માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે શહેરના સાતેય ઝોનમાં જુદા-જુદા દિવસે પાણી ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી પુરું પાડવામાં આવશે. તારીખ 6 થી 9 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરીના રોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રાખવામાં આવશે. તેના કારણે એક-એક દિવસ પાણી કાપની અસર જોવા મળશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રહેવાથી સાત ઝોનમાં પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં મોકલી શકાશે નહીં.

દરેક વોર્ડમાં બનાવેલી પાણીની ટાંકીઓ અગાઉથી ભરી રાખવા અને જરૂર પડે તો બોરવેલ ચલાવીને પણ નાગરિકોને પાણી પુરું પાડવાની સૂચના આપવામાં આવી છે. વોટર કમિટી ચેરમેન દિલીપભાઇ બગડીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પીવાનું પાણી પુરું પાડવા તથા ગટના પાણીના નિકાલ માટે મોટા પ્રમાણમાં વીજનો ઉપયોગ થાય છે. જેની કોસ્ટ પણ સતત વધી રહી છે. ત્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં જમીન પર લગાવેલ સોલાર પેનલથી એએમસી વર્ષે 16થી 20 લાખ વીજ યુનિટની બચત થશે અને કાર્બન ઉત્સર્જમાં ઘટાડો થશે.

વોટર કમિટી ચેરમેને વધુ માહિતી આપતાં કહ્યું કે, સમગ્ર શહેરને પીવાનું પાણી શુદ્ધ કરીને પૂરૂ પાડતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને એક સાથે બંધ રાખવામા આવે તો મોટી સમસ્યા સર્જાય તેમ હોઇ બધાને અલગ અલગ દિવસે પાંચ છ કલાક માટે બંધ રાખી વીજ જોડાણ કરવાનો નિર્ણય લેવાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...