Wednesday, March 4, 2026

અમદાવાદમાં શાળાઓ, કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓના કેસમાં એકની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની વિવિધ શાળાઓ, નીચલી અદાલતો અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર સૌરવ બિશ્વાસની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમના સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલ્સના કેસમાં આ પહેલી ધરપકડ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન બિશ્વાસ નામના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે આરોપીને કસ્ટોડિયલ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કથિત કાવતરાની વિગતવાર પૂછપરછ અને વધુ તપાસ માટે 5 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમેઇલ્સ મોકલવામાં અન્ય વ્યક્તિઓ સામેલ હતા કે નહીં તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત હાઈકોર્ટને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલ્સ સાથે પણ આ આરોપીનો કોઈ સંબંધ છે કે નહીં, તે અધિકારીઓ ચકાસી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બર, 2025ના રોજ લગભગ 26 સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ 23મી જાન્યુઆરી, 2026ના રોજ 15 જેટલી સ્કૂલને ધમકી મળી હતી.

ફરી 16મી ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ અને વડોદરાની લગભગ 40 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ્સ મળ્યા હતા. આ પ્રકારના ઈમેલ્સ મળ્યા બાદ પોલીસ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સ્કૂલને ખાલી કરાવવી પડી હતી અને બાળકો, વાલીઓ અને સ્કૂલ સંચાલકોમાં ચિંતા પ્રસરી હતી. જોકે દરેક વખતે કોઈપણ પ્રકારની જોખમી સામગ્રી મળી ન હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...