Wednesday, March 11, 2026

સેટેલાઇટમાં 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, દીકરીને ડૉક્ટર બનાવવા ‘પિતા બન્યો ચોર’

spot_img
Share

અમદાવાદ : સેટેલાઇટમાં ઘરઘાટીએ કરેલ એક કરોડના મત્તાની ચોરી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘરઘાટી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીનીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી ઘરઘાટીને દેવું થઇ જતા ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીની પુત્રી મેડિકલનો અભ્યાસ કરતી હોવાથી પુત્રીને એજ્યુકેશન લોન અને પર્સનલ લોનમાં દેવું થઈ જતાં ચોરી કરી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેટેલાઈટમાં આવેલ સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરીને માલિકનો વિશ્વાસ કેળવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીના સીસીટીવીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે વેસ્ટ બંગાલથી આરોપી રાજા ચૌધરીની ધરપકડ કરીને ચોરીના 6.70 લાખના દાગીના કબજે કર્યા છે.આ ઘરઘાટી ડિજિટલ તિજોરીમાંથી ચોરી ફરાર થઈ ગયો હતો. જે તિજોરીમાં રોકડ, સોના ચાંદીના દાગીના, હીરાનાં ડાયમંડ મળી આશરે એક કરોડનો મુદ્દામાલ હતો.જેમાં આરોપી રાજા ચૌધરીની પૂછપરછમાં સામે આવ્યું કે તેની પુત્રી મેડિકલનો અભ્યાસ કરે છે જે એજ્યુકેશન લોન અને પર્સનલ લોન લીધી હોવાથી દેવું થઈ ગયું હતું. જે દેવું પૂરું કરવા માટે ચોરી કરી હોવાનું કબલ્યું છે.

પકડાયેલ આરોપી રાજા ચૌધરી પોતાની પુત્રીને ડોકટર બનાવવા માટે ચોર બન્યો હતો. જેમાં આરોપી રાજા ચૌધરી વેસ્ટ બંગાલથી દોઢ મહિના પહેલા ચોરી કરવા ઘરઘાટી બન્યો હતો. જેમાં પોતાની ઓળખના પુરાવા અને નામ પણ ખોટું આપ્યું હતું. ઘરઘાટી નોકરી માટે પોલીસ વેરિફિકેશનમાં ખોટું આધારકાર્ડ આપ્યું હતું. જેમાં રમેશ ચક્રબોર્તી નામનું આધાર કાર્ડ આપ્યું હતું. જેને લઇ તપાસ કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...