Tuesday, January 13, 2026

સેટેલાઇટમાં 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, દીકરીને ડૉક્ટર બનાવવા ‘પિતા બન્યો ચોર’

spot_img
Share

અમદાવાદ : સેટેલાઇટમાં ઘરઘાટીએ કરેલ એક કરોડના મત્તાની ચોરી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘરઘાટી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીનીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી ઘરઘાટીને દેવું થઇ જતા ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીની પુત્રી મેડિકલનો અભ્યાસ કરતી હોવાથી પુત્રીને એજ્યુકેશન લોન અને પર્સનલ લોનમાં દેવું થઈ જતાં ચોરી કરી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેટેલાઈટમાં આવેલ સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરીને માલિકનો વિશ્વાસ કેળવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીના સીસીટીવીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે વેસ્ટ બંગાલથી આરોપી રાજા ચૌધરીની ધરપકડ કરીને ચોરીના 6.70 લાખના દાગીના કબજે કર્યા છે.આ ઘરઘાટી ડિજિટલ તિજોરીમાંથી ચોરી ફરાર થઈ ગયો હતો. જે તિજોરીમાં રોકડ, સોના ચાંદીના દાગીના, હીરાનાં ડાયમંડ મળી આશરે એક કરોડનો મુદ્દામાલ હતો.જેમાં આરોપી રાજા ચૌધરીની પૂછપરછમાં સામે આવ્યું કે તેની પુત્રી મેડિકલનો અભ્યાસ કરે છે જે એજ્યુકેશન લોન અને પર્સનલ લોન લીધી હોવાથી દેવું થઈ ગયું હતું. જે દેવું પૂરું કરવા માટે ચોરી કરી હોવાનું કબલ્યું છે.

પકડાયેલ આરોપી રાજા ચૌધરી પોતાની પુત્રીને ડોકટર બનાવવા માટે ચોર બન્યો હતો. જેમાં આરોપી રાજા ચૌધરી વેસ્ટ બંગાલથી દોઢ મહિના પહેલા ચોરી કરવા ઘરઘાટી બન્યો હતો. જેમાં પોતાની ઓળખના પુરાવા અને નામ પણ ખોટું આપ્યું હતું. ઘરઘાટી નોકરી માટે પોલીસ વેરિફિકેશનમાં ખોટું આધારકાર્ડ આપ્યું હતું. જેમાં રમેશ ચક્રબોર્તી નામનું આધાર કાર્ડ આપ્યું હતું. જેને લઇ તપાસ કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....