Wednesday, March 4, 2026

મોડી રાત્રે નેહરુનગર પાસે ભયાનક અકસ્માત, કારનો દરવાજો કાપીને યુવકને બચાવાયો, પગમાં ઘૂસ્યો સળિયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નેહરૂનગર નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાતા લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવી BRTSની રેલીંગ તોડી અંદર ઘુસી ગઈ હતી. એક વ્યક્તિનાં પગમાં રેલીગનો સળીયો ઘુસી જતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કારમાંથી યુવકને બહાર કાઢ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શનિવાર રાતે 10 વાગ્યાની આસપાસ કાર ન Gj-18 -Bj-2082 નો ચાલક નહેરુનગરથી શિવરંજની તરફ જતા હતા તે વખતે ઉમિયા વિજય સોસાયટી આગળથી પસાર થતા હતાં વખતે કોઈ કારણસર કારનો કાબુ ગુમાવી દેતા BRTS રેલિંગ તોડી દેતા કારમાં આગળ બેઠેલ વ્યક્તિને રેલિંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી જતા ઇજા થઇ હતી અને કાર લોક થઈ જતા ફાયર બ્રિગેડના માણસો મારફતે બહાર કાઢી ઇજા પામનાર વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

કાર ચાલકની બાજુમાં બેઠેલ યુવકનાં પગના સાથળના ભાગે રેલીંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર લોક થઈ જતા ફાયર બ્રિગ્રેડના માણસોએ તેને બહાર કાઢી તાત્કાલિક તેને સારવાર અર્થે 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...