Wednesday, January 14, 2026

મોડી રાત્રે નેહરુનગર પાસે ભયાનક અકસ્માત, કારનો દરવાજો કાપીને યુવકને બચાવાયો, પગમાં ઘૂસ્યો સળિયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નેહરૂનગર નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાતા લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવી BRTSની રેલીંગ તોડી અંદર ઘુસી ગઈ હતી. એક વ્યક્તિનાં પગમાં રેલીગનો સળીયો ઘુસી જતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કારમાંથી યુવકને બહાર કાઢ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શનિવાર રાતે 10 વાગ્યાની આસપાસ કાર ન Gj-18 -Bj-2082 નો ચાલક નહેરુનગરથી શિવરંજની તરફ જતા હતા તે વખતે ઉમિયા વિજય સોસાયટી આગળથી પસાર થતા હતાં વખતે કોઈ કારણસર કારનો કાબુ ગુમાવી દેતા BRTS રેલિંગ તોડી દેતા કારમાં આગળ બેઠેલ વ્યક્તિને રેલિંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી જતા ઇજા થઇ હતી અને કાર લોક થઈ જતા ફાયર બ્રિગેડના માણસો મારફતે બહાર કાઢી ઇજા પામનાર વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

કાર ચાલકની બાજુમાં બેઠેલ યુવકનાં પગના સાથળના ભાગે રેલીંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર લોક થઈ જતા ફાયર બ્રિગ્રેડના માણસોએ તેને બહાર કાઢી તાત્કાલિક તેને સારવાર અર્થે 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...