Tuesday, April 28, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચાર લૂંટારૂઓ ત્રાટક્યા,11 લાખથી વધુના દાગીનાની ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં જયભવાની નામની જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે લગભગ સાડા નવ કલાકની આસપાસ એકાએક 4 શખ્સ દુકાનમાં ધસી આવ્યા હતા અને દુકાનદારને બંદૂક બતાવી મારી નાંખવાની ધમકી આપી લગભગ 11 લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.મહત્વપૂર્ણ છે કે મણિનગરમાં જ્વેલર્સની જે દુકાનમાં ચોરી થઇ ત્યાંથી માત્ર 200 મીટરના અંતર પર જ પોલીસ ચોકી આવેલી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ સર્કલ પાસે આવેલ જય ભવાની જ્વેલર્સની દુકાનમાં કેટલાક લોકો ઘુસ્યા હતા. અને દુકાનદારને રીવોલ્વર બતાવી ઝપાઝપી કરી હતી. સાથે જ ઇસકો ઠોક દે તેવી ધમકી આપીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ દુકાનદારે કહ્યું હતું કે, તમારે જે લઇ જવું હોય તે લઇ જાવો પણ મને કઇ ના કરતા, તેમ કહીને સાઇડમાં ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો હતો. તે બાદ જ્વેલર્સની દુકાનની ડિસપ્લેમાં મુકેલા સોનાના દાગીના ભરેલી ટ્રે ભેગી કરી હતી અને 11 લાખથી વધુ લાખના દાગીના કાપડની થેલીમાં મુકીને આ ઇસમો ફરાર થઇ ગયા હતા. સાથે જ દુકાનદારનો મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લીધા હતા તેમજ નાકાબંધી કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધમકી આપીને લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યા ચોરી થઇ તે જ્વેલર્સની દુકાનમાંથી માત્ર 200 મીટરના અંતર પર જ પોલીસ ચોકી આવેલી છે. લૂંટારૂઓને જાણે પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...