Sunday, January 18, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચાર લૂંટારૂઓ ત્રાટક્યા,11 લાખથી વધુના દાગીનાની ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં જયભવાની નામની જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે લગભગ સાડા નવ કલાકની આસપાસ એકાએક 4 શખ્સ દુકાનમાં ધસી આવ્યા હતા અને દુકાનદારને બંદૂક બતાવી મારી નાંખવાની ધમકી આપી લગભગ 11 લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.મહત્વપૂર્ણ છે કે મણિનગરમાં જ્વેલર્સની જે દુકાનમાં ચોરી થઇ ત્યાંથી માત્ર 200 મીટરના અંતર પર જ પોલીસ ચોકી આવેલી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ સર્કલ પાસે આવેલ જય ભવાની જ્વેલર્સની દુકાનમાં કેટલાક લોકો ઘુસ્યા હતા. અને દુકાનદારને રીવોલ્વર બતાવી ઝપાઝપી કરી હતી. સાથે જ ઇસકો ઠોક દે તેવી ધમકી આપીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ દુકાનદારે કહ્યું હતું કે, તમારે જે લઇ જવું હોય તે લઇ જાવો પણ મને કઇ ના કરતા, તેમ કહીને સાઇડમાં ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો હતો. તે બાદ જ્વેલર્સની દુકાનની ડિસપ્લેમાં મુકેલા સોનાના દાગીના ભરેલી ટ્રે ભેગી કરી હતી અને 11 લાખથી વધુ લાખના દાગીના કાપડની થેલીમાં મુકીને આ ઇસમો ફરાર થઇ ગયા હતા. સાથે જ દુકાનદારનો મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લીધા હતા તેમજ નાકાબંધી કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધમકી આપીને લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યા ચોરી થઇ તે જ્વેલર્સની દુકાનમાંથી માત્ર 200 મીટરના અંતર પર જ પોલીસ ચોકી આવેલી છે. લૂંટારૂઓને જાણે પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...