Thursday, March 12, 2026

અમદાવાદમાં વધુ એક રેલવે સ્ટેશનની થશે કાયાપલટ: પ્રવાસીઓને મળશે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત, સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત ₹33.64 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે.

આ સાથે વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબા મેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. તેના નિર્માણથી અમદાવાદ ક્ષેત્રમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં અનેક નવી ટ્રેનોના સંચાલન માટે માર્ગ ખુલશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 20 નવી પરીક્ષણ (એક્ઝામિનેશન) લાઈનો અને 40થી વધુ સ્ટેબલિંગ લાઈનોનું નિર્માણ કરવામાં આવશે. કુલ મળીને લગભગ 100 લાઈનોનું વિશાળ કોચિંગ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે, જે દેશના સૌથી મોટા ટર્મિનલોમાંથી એક બનશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ડીપીઆર મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર રેલવેની અવસંરચનાને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ પ્રદેશના વિકાસ અને મુસાફરોની સુવિધાઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવા માટે નીચેના કાર્યો કરવામાં આવી રહ્યા છે:

નવું સ્ટેશન બિલ્ડિંગ:લગભગ 6,469 ચોરસ ફૂટ વિસ્તારમાં એક ભવ્ય અને આધુનિક સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ટિકિટિંગ, પૂછપરછ અને અન્ય મુસાફરી સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહેશે.

વિશાળ સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ: ટ્રાફિકની ભીડભાડને નિયંત્રિત કરવા માટે 2,19,584 ચોરસ ફૂટ વિસ્તારમાં વિશાળ પાર્કિંગ અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે, જેથી ખાનગી અને જાહેર વાહનોના અવરજવરમાં સરળતા રહેશે.

કવર શેડ અને કેનોપી:મુસાફરોને પ્રતિકૂળ મૌસમ (તડકો અને વરસાદ)થી બચાવવા માટે 13,627 ચોરસ ફૂટની કેનોપી અને પ્લેટફાર્મો પર 13,164 ચોરસ ફૂટ વિસ્તારમાં કવર શેડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આરામદાયક વેઇટિંગ હોલ: મુસાફરો માટે લગભગ 926 ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિક વેઇટિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં ઉત્તમ બેસવાની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.

પ્લેટફોર્મ મજબૂતીકરણ: લગભગ 12,056 ચોરસ ફૂટ વિસ્તારમાં પ્લેટફોર્મ સરફેસિંગ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને ચાલવામાં સરળતા રહેશે.

બીજું પ્રવેશદ્વાર (Second Entry):મુસાફરોની સુવિધા માટે લગભગ 2,583 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશનનું બીજું પ્રવેશદ્વાર વિકસાવવામાં આવ્યું છે.

સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા:પ્લેટફોર્મ પર 4 નવા આધુનિક શૌચાલય બ્લોક અને શુદ્ધ પીવાના પાણી માટે નવા વોટર બૂથ બનાવવામાં આવી રહ્યા છે.

સ્ટેશનને સંપૂર્ણપણે બેરિયર-ફ્રી (Barrier-free) બનાવવા માટે પણ મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે:

વિશાળ ફૂટ ઓવર બ્રિજ (FOB):વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને 40 ફૂટ પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ પ્લેટફોર્મોને જોડશે તેમજ સ્ટેશનના બંને છેડા વચ્ચે સરળ અવરજવર સુનિશ્ચિત કરશે.

સમાવેશી સુવિધાઓ (લિફ્ટ અને દિવ્યાંગજન સુવિધા): દરેક પ્લેટફોર્મ પર લિફ્ટ સ્થાપિત કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ સુવિધા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ માટે ખૂબ લાભદાયક સાબિત થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...