Thursday, March 12, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા ‘પર્યાવરણ બચાવો’ રેલીનું ભવ્ય આયોજન

spot_img
Share

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચત્તર માધ્યમિક શાળા દ્વારા આજે એક પ્રેરણાદાયી ‘પર્યાવરણ બચાવો’ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં યોજાયેલી આ રેલીમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચત્તર માધ્યમિક શાળા દ્વારા યોજાયેલ આ રેલીમાં શાળાની આશરે 500 જેટલી વિદ્યાર્થિનીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા.આ રેલીમાં વિદ્યાર્થિનીઓએ હાથમાં પર્યાવરણલક્ષી સૂત્રો લખેલા કાર્ડ-બોર્ડ પ્લેકાર્ડ્સ રાખ્યા હતા અને દેશભક્તિના ગીતો તેમજ સૂત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણને ગજવી દીધું હતું. આ રેલી સમગ્ર વિસ્તારમાં અંદાજે 2 કિમી જેટલા અંતરમાં યોજવામાં આવી હતી.

આ રેલી બાદ પર્યાવરણની સુરક્ષાના ભાગરૂપે, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદયના વિશેષ સહયોગથી તમામ વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક કોટન બેગ (કાપડની થેલી) એનાયત કરવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ત્યાગ કરી કોટન બેગના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

સ્થાનિક વાલીઓ અને નાગરિકો તરફથી આ રેલીને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. શાળાના આચાર્યશ્રી દ્વારા આ સુંદર આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...