Wednesday, March 4, 2026

અમદાવાદમાં 2 અંડરબ્રિજ બનીને તૈયાર, લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બનતી જઈ રહી છે. જેને પહોંચી વળવા માટે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગરૂપે શહેરમાં અંડર બ્રિજ અને ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદને બે અંડરબ્રિજની ભેટ મળવાની છે.શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર રેલવે અંડરબ્રિજ અને એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજનું આગામી દિવસોમાં લોકાર્પણ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદીઓને આગામી દિવસોમાં બે અંડરપાસની ભેટ મળશે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે રેલવે અંડરબ્રિજ 500 મીટર લાંબો અને આરસીસીનો બનાવવામાં આવેલો છે. લોકોની અવરજવર માટે સાઈડમાં વોક-વે પણ બનાવવામાં આવેલો છે. જલારામ મંદિર રેલવે અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 4 માર્ચના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ લો ગાર્ડન, નવરંગપુરા, ઇન્કમટેક્સ તરફથી જે લોકોને પાલડી અને પૂર્વ વિસ્તાર તરફ જવું હશે, તેના માટે અવરજવરમાં સરળતા રહેશે. રોજના એક લાખ લોકોને આ બ્રિજના કારણે ફાયદો થશે.

રેલવે લાઈન અને મેટ્રો પ્રોજેક્ટના પગલે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રેલવે અંડરબ્રિજ બનાવવા માટે થઈને અનેક વિવાદ સામે આવ્યા હતા. સ્થાનિકો દ્વારા અને ત્યારબાદ વહીવટી તંત્ર વચ્ચે બ્રિજ બનાવવા મામલે વિવાદો થયા હતા. જલારામ મંદિર પાસે મેટ્રો રેલ અને રેલવે લાઈન બંને એકસાથે પસાર થતી હોવાથી કોણ અંડરબ્રિજ બનાવશે? તે અંગે વિવાદ થયો હતો. જોકે, છેવટે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા આ અંડરબ્રિજ બનાવવા સહમતિ દર્શાવવામાં આવી હતી.

એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરી 95 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર કલર અને નાના સિવિલ કામ બાકી છે, જે આગામી 10 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. આ સાથે જ 10 થી 12 માર્ચની આસપાસ લોકાર્પણ થવાની શક્યતા છે. જે લોકો એસજી હાઇવેથી સાઉથ બોપલ અને છેલ્લા તરફ જવા માંગતા હોય તેમને ખૂબ જ સરળતા રહેશે. એસપી રીંગ રોડ ઉપર મહંમદપુરા અંડરબ્રિજ બની જવાના કારણે એસજી હાઇવેથી જે લોકોને બોપલ સાઉથ બોપલ અને શેલા તરફ જવું હોય તેઓને ફાયદો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...