Wednesday, April 29, 2026

અમદાવાદમાં 2 અંડરબ્રિજ બનીને તૈયાર, લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બનતી જઈ રહી છે. જેને પહોંચી વળવા માટે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગરૂપે શહેરમાં અંડર બ્રિજ અને ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદને બે અંડરબ્રિજની ભેટ મળવાની છે.શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર રેલવે અંડરબ્રિજ અને એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજનું આગામી દિવસોમાં લોકાર્પણ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદીઓને આગામી દિવસોમાં બે અંડરપાસની ભેટ મળશે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે રેલવે અંડરબ્રિજ 500 મીટર લાંબો અને આરસીસીનો બનાવવામાં આવેલો છે. લોકોની અવરજવર માટે સાઈડમાં વોક-વે પણ બનાવવામાં આવેલો છે. જલારામ મંદિર રેલવે અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 4 માર્ચના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ લો ગાર્ડન, નવરંગપુરા, ઇન્કમટેક્સ તરફથી જે લોકોને પાલડી અને પૂર્વ વિસ્તાર તરફ જવું હશે, તેના માટે અવરજવરમાં સરળતા રહેશે. રોજના એક લાખ લોકોને આ બ્રિજના કારણે ફાયદો થશે.

રેલવે લાઈન અને મેટ્રો પ્રોજેક્ટના પગલે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રેલવે અંડરબ્રિજ બનાવવા માટે થઈને અનેક વિવાદ સામે આવ્યા હતા. સ્થાનિકો દ્વારા અને ત્યારબાદ વહીવટી તંત્ર વચ્ચે બ્રિજ બનાવવા મામલે વિવાદો થયા હતા. જલારામ મંદિર પાસે મેટ્રો રેલ અને રેલવે લાઈન બંને એકસાથે પસાર થતી હોવાથી કોણ અંડરબ્રિજ બનાવશે? તે અંગે વિવાદ થયો હતો. જોકે, છેવટે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા આ અંડરબ્રિજ બનાવવા સહમતિ દર્શાવવામાં આવી હતી.

એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરી 95 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર કલર અને નાના સિવિલ કામ બાકી છે, જે આગામી 10 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. આ સાથે જ 10 થી 12 માર્ચની આસપાસ લોકાર્પણ થવાની શક્યતા છે. જે લોકો એસજી હાઇવેથી સાઉથ બોપલ અને છેલ્લા તરફ જવા માંગતા હોય તેમને ખૂબ જ સરળતા રહેશે. એસપી રીંગ રોડ ઉપર મહંમદપુરા અંડરબ્રિજ બની જવાના કારણે એસજી હાઇવેથી જે લોકોને બોપલ સાઉથ બોપલ અને શેલા તરફ જવું હોય તેઓને ફાયદો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...