Wednesday, January 21, 2026

અમદાવાદમાં 2 અંડરબ્રિજ બનીને તૈયાર, લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બનતી જઈ રહી છે. જેને પહોંચી વળવા માટે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગરૂપે શહેરમાં અંડર બ્રિજ અને ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદને બે અંડરબ્રિજની ભેટ મળવાની છે.શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર રેલવે અંડરબ્રિજ અને એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજનું આગામી દિવસોમાં લોકાર્પણ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદીઓને આગામી દિવસોમાં બે અંડરપાસની ભેટ મળશે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે રેલવે અંડરબ્રિજ 500 મીટર લાંબો અને આરસીસીનો બનાવવામાં આવેલો છે. લોકોની અવરજવર માટે સાઈડમાં વોક-વે પણ બનાવવામાં આવેલો છે. જલારામ મંદિર રેલવે અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 4 માર્ચના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ લો ગાર્ડન, નવરંગપુરા, ઇન્કમટેક્સ તરફથી જે લોકોને પાલડી અને પૂર્વ વિસ્તાર તરફ જવું હશે, તેના માટે અવરજવરમાં સરળતા રહેશે. રોજના એક લાખ લોકોને આ બ્રિજના કારણે ફાયદો થશે.

રેલવે લાઈન અને મેટ્રો પ્રોજેક્ટના પગલે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રેલવે અંડરબ્રિજ બનાવવા માટે થઈને અનેક વિવાદ સામે આવ્યા હતા. સ્થાનિકો દ્વારા અને ત્યારબાદ વહીવટી તંત્ર વચ્ચે બ્રિજ બનાવવા મામલે વિવાદો થયા હતા. જલારામ મંદિર પાસે મેટ્રો રેલ અને રેલવે લાઈન બંને એકસાથે પસાર થતી હોવાથી કોણ અંડરબ્રિજ બનાવશે? તે અંગે વિવાદ થયો હતો. જોકે, છેવટે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા આ અંડરબ્રિજ બનાવવા સહમતિ દર્શાવવામાં આવી હતી.

એસપી રીંગ રોડ પર મહંમદપુરા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરી 95 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર કલર અને નાના સિવિલ કામ બાકી છે, જે આગામી 10 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. આ સાથે જ 10 થી 12 માર્ચની આસપાસ લોકાર્પણ થવાની શક્યતા છે. જે લોકો એસજી હાઇવેથી સાઉથ બોપલ અને છેલ્લા તરફ જવા માંગતા હોય તેમને ખૂબ જ સરળતા રહેશે. એસપી રીંગ રોડ ઉપર મહંમદપુરા અંડરબ્રિજ બની જવાના કારણે એસજી હાઇવેથી જે લોકોને બોપલ સાઉથ બોપલ અને શેલા તરફ જવું હોય તેઓને ફાયદો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...