Wednesday, April 29, 2026

નવા વાડજના નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલના સામાજીક-ધાર્મિક સેવાયજ્ઞએ અપાવી કોહિનુર હીરા સમી લોકલાગણી

spot_img
Share

(માનવ જોષી દ્વારા) અમદાવાદ : કોલસાની ખાણમાંથી હીરા મળે એ તો સૌએ સાંભળ્યું હોય એ સ્વાભાવિક છે, પણ આ વાંચ્યા પછી તમને થશે કે કોલસાનું કામ કરનારામાં પણ હીર હોય છે અને એ સમાજ માટે હીરો સાબિત થઈ શકે છે. નવા વાડજ ગામના રહેવાસી અને નવા વાડજ શાકમાર્કેટમાં કોલસાનો વ્યવસાય કરતાં ભગવતી કોલ ડીપોના માલિક નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલના સામાજીક-ધાર્મિક સેવાયજ્ઞએ તેમને નવા વાડજમાં કોહિનુર હીરા સમી લોકલાગણી અપાવી છે.

છેલ્લા 50 વર્ષથી નવાવાડજ શાક માર્કેટમાં કોલસાના વ્યવસાય થકી જેમની ઓળખ છે એવા નરેન્દ્રભાઇની સમાજસેવાની વાત કરીએ તો સૌથી વિશેષ છે દશામાના વ્રતના દસ દિવસની ઉજવણીમાં તેમનું અમૂલ્ય યોગદાન..નરેન્દ્રભાઈ પટેલના કહેવા મુજબ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા ભક્તો પોતાની મર્યાદાને લીધે વ્રતની યોગ્ય ઉજવણી કરી શકતા નથી માટે અમે દશામાંના વ્રતના 10 દિવસ દરમિયાન કોઈપણ જાતના ઉઘરાણા વિના દરરોજ 20 થી 25 કિલો ઉત્તમ ફરાળી મીઠાઈ અને ફરસાણ માં ને પ્રસાદી સ્વરૂપ અર્પણ કરીએ છીએ તથા ઉપવાસ કરતી બહેનોમાં તે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. તદુપરાંત નવમા દિવસે ભવ્ય ફૂલના ગરબાનું આયોજન અમારા તરફથી થાય છે, જેમાં વિસ્તારના લોકો ભાવથી જોડાય છે. અંતિમ દિવસે ભંડારો કરવામાં આવે છે જેમાં 4000 થી 5000 લોકો સમૂહ ભોજનમાં પ્રસાદી મેળવે છે. પ્રદૂષણના સરકારી ધારા ધોરણને ધ્યાનમાં રાખી માતાજીનું વિસર્જન પણ અમે અમારા ખુદના બનાવેલ કુંડમાં કરીએ છીએ.

’મોરના ઈંડા ચીતરવા ન પડે’ એ કહેવતને સાર્થક કરતા નરેન્દ્રભાઈના પુત્ર ઇશાંત પટેલ ઉનાળામાં જ્યારે ગરમી પોતાની પરાકાષ્ઠાએ હોય એવા મે મહિના દરમિયાન પશુ-પક્ષી માટે અસંખ્ય પાણીના કૂંડાનું વિતરણ કરે છે. નવા વાડજ શાકમાર્કેટમાં ભગવતી કોલ ડીપોની બહાર સેવાસ્વરૂપ રામરસ પરબમાં અવર જવર કરતા નાગરિકો માટે મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ ગરમીમાં રાહત મળે તે માટે છાશનું પણ અહી વિતરણ થાય છે.

નરેન્દ્રભાઈના બીજા સુપુત્ર સૃજલ પટેલના જણાવ્યા મુજબ ગૌરીવ્રત હોય ત્યારે પપ્પાના માર્ગદર્શન હેઠળ અસંખ્ય બાળાઓને જવારા ઉઘાડીને તેનું ફ્રીમાં વિતરણ કરીએ છીએ. એકવાર તો એવું બન્યું કે કિન્નર સમાજે (માસીબા) આવીને નરેન્દ્રભાઈને વિનંતી કરી કે અમારે અમારા માતાજીના ગરબા કરવા છે, તમે અમને સહકાર આપો કેમ કે કોઈ અમને મદદ તો શું સાંભળવા પણ રાજી નથી. નરેન્દ્રભાઈએ ભગવતી કોલ ડીપોના આંગણે કિન્નર સમાજ માટે એટલું સુંદર ગરબાનું આયોજન કર્યું કે આખા ગુજરાતમાંથી લગભગ 3000 જેટલા કિન્નર ગરબામાં જોડાયા.

નરેન્દ્રભાઈના સેવા યજ્ઞને સુગંધ આપતું અનોખું સેવાકાર્ય એટલે મેડા આદરજ ગામના રામદેવ ફાર્મમાં થતું સમૂહ લગ્નનું આયોજન. આજના મોંઘવારીના સમયમાં લગ્નના ખર્ચને પહોંચી ન વળતા માતા પિતાની મજબૂરીને માથે લઈ નરેન્દ્રભાઇ આ વખતે ત્રીજો સમૂહલગ્નનો ઉત્સવ યોજી રહ્યા છે, જેમાં લગભગ 65 જેટલી કન્યાઓનું મામેરું નરેન્દ્રભાઇ પટેલના પરિવાર દ્વારા થશે.આ અગાઉ તેઓના દ્વારા બે સમૂહલગ્નનો ઉત્સવ યોજાઈ ગયા છે.

ગામમાં બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરવાનું હોય કે પછી ધાર્મિક લાગણીના સંવર્ધન માટે ભાગવત કથા કે રામકથા કરવાની હોય, નરેન્દ્રભાઈનો હાથ અને હૈયું હંમેશા આવા કાર્યમાં યોગદાન માટે તત્પર જ હોય. પરિવારનો એક વ્યક્તિ સેવાકાર્યમાં સક્રિય હોય પણ અન્યનો સહકાર ન મળે તો ક્યારેક ને ક્યારેક આ યાત્રા અટકી જાય છે પરંતુ નરેન્દ્રભાઈના પરિવારના દરેક વ્યક્તિ તેમના આ સેવાયજ્ઞમાં તેમની પાછળ રહે છે અને જ્યાં જ્યાં જાત ઘસવાની આવે તેમની સાથે રહે છે તે ઈશ્વરના આશીર્વાદ છે.

આપણા ભારત દેશમાં જ્યાં સુધી નરેન્દ્રભાઇ જેવા ભામાશા હશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ક્યારેય લુપ્ત થશે નહી અને ત્યાં સુધી કોઇપણ નાગરિક પોતાની મર્યાદાને લીધે ધાર્મિક કે સામજિક ઉત્સવોથી વંચિત નહિ રહી જાય તે આપણું સૌભાગ્ય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...