Saturday, January 24, 2026

નવા વાડજના નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલના સામાજીક-ધાર્મિક સેવાયજ્ઞએ અપાવી કોહિનુર હીરા સમી લોકલાગણી

spot_img
Share

(માનવ જોષી દ્વારા) અમદાવાદ : કોલસાની ખાણમાંથી હીરા મળે એ તો સૌએ સાંભળ્યું હોય એ સ્વાભાવિક છે, પણ આ વાંચ્યા પછી તમને થશે કે કોલસાનું કામ કરનારામાં પણ હીર હોય છે અને એ સમાજ માટે હીરો સાબિત થઈ શકે છે. નવા વાડજ ગામના રહેવાસી અને નવા વાડજ શાકમાર્કેટમાં કોલસાનો વ્યવસાય કરતાં ભગવતી કોલ ડીપોના માલિક નરેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલના સામાજીક-ધાર્મિક સેવાયજ્ઞએ તેમને નવા વાડજમાં કોહિનુર હીરા સમી લોકલાગણી અપાવી છે.

છેલ્લા 50 વર્ષથી નવાવાડજ શાક માર્કેટમાં કોલસાના વ્યવસાય થકી જેમની ઓળખ છે એવા નરેન્દ્રભાઇની સમાજસેવાની વાત કરીએ તો સૌથી વિશેષ છે દશામાના વ્રતના દસ દિવસની ઉજવણીમાં તેમનું અમૂલ્ય યોગદાન..નરેન્દ્રભાઈ પટેલના કહેવા મુજબ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા ભક્તો પોતાની મર્યાદાને લીધે વ્રતની યોગ્ય ઉજવણી કરી શકતા નથી માટે અમે દશામાંના વ્રતના 10 દિવસ દરમિયાન કોઈપણ જાતના ઉઘરાણા વિના દરરોજ 20 થી 25 કિલો ઉત્તમ ફરાળી મીઠાઈ અને ફરસાણ માં ને પ્રસાદી સ્વરૂપ અર્પણ કરીએ છીએ તથા ઉપવાસ કરતી બહેનોમાં તે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. તદુપરાંત નવમા દિવસે ભવ્ય ફૂલના ગરબાનું આયોજન અમારા તરફથી થાય છે, જેમાં વિસ્તારના લોકો ભાવથી જોડાય છે. અંતિમ દિવસે ભંડારો કરવામાં આવે છે જેમાં 4000 થી 5000 લોકો સમૂહ ભોજનમાં પ્રસાદી મેળવે છે. પ્રદૂષણના સરકારી ધારા ધોરણને ધ્યાનમાં રાખી માતાજીનું વિસર્જન પણ અમે અમારા ખુદના બનાવેલ કુંડમાં કરીએ છીએ.

’મોરના ઈંડા ચીતરવા ન પડે’ એ કહેવતને સાર્થક કરતા નરેન્દ્રભાઈના પુત્ર ઇશાંત પટેલ ઉનાળામાં જ્યારે ગરમી પોતાની પરાકાષ્ઠાએ હોય એવા મે મહિના દરમિયાન પશુ-પક્ષી માટે અસંખ્ય પાણીના કૂંડાનું વિતરણ કરે છે. નવા વાડજ શાકમાર્કેટમાં ભગવતી કોલ ડીપોની બહાર સેવાસ્વરૂપ રામરસ પરબમાં અવર જવર કરતા નાગરિકો માટે મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ ગરમીમાં રાહત મળે તે માટે છાશનું પણ અહી વિતરણ થાય છે.

નરેન્દ્રભાઈના બીજા સુપુત્ર સૃજલ પટેલના જણાવ્યા મુજબ ગૌરીવ્રત હોય ત્યારે પપ્પાના માર્ગદર્શન હેઠળ અસંખ્ય બાળાઓને જવારા ઉઘાડીને તેનું ફ્રીમાં વિતરણ કરીએ છીએ. એકવાર તો એવું બન્યું કે કિન્નર સમાજે (માસીબા) આવીને નરેન્દ્રભાઈને વિનંતી કરી કે અમારે અમારા માતાજીના ગરબા કરવા છે, તમે અમને સહકાર આપો કેમ કે કોઈ અમને મદદ તો શું સાંભળવા પણ રાજી નથી. નરેન્દ્રભાઈએ ભગવતી કોલ ડીપોના આંગણે કિન્નર સમાજ માટે એટલું સુંદર ગરબાનું આયોજન કર્યું કે આખા ગુજરાતમાંથી લગભગ 3000 જેટલા કિન્નર ગરબામાં જોડાયા.

નરેન્દ્રભાઈના સેવા યજ્ઞને સુગંધ આપતું અનોખું સેવાકાર્ય એટલે મેડા આદરજ ગામના રામદેવ ફાર્મમાં થતું સમૂહ લગ્નનું આયોજન. આજના મોંઘવારીના સમયમાં લગ્નના ખર્ચને પહોંચી ન વળતા માતા પિતાની મજબૂરીને માથે લઈ નરેન્દ્રભાઇ આ વખતે ત્રીજો સમૂહલગ્નનો ઉત્સવ યોજી રહ્યા છે, જેમાં લગભગ 65 જેટલી કન્યાઓનું મામેરું નરેન્દ્રભાઇ પટેલના પરિવાર દ્વારા થશે.આ અગાઉ તેઓના દ્વારા બે સમૂહલગ્નનો ઉત્સવ યોજાઈ ગયા છે.

ગામમાં બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરવાનું હોય કે પછી ધાર્મિક લાગણીના સંવર્ધન માટે ભાગવત કથા કે રામકથા કરવાની હોય, નરેન્દ્રભાઈનો હાથ અને હૈયું હંમેશા આવા કાર્યમાં યોગદાન માટે તત્પર જ હોય. પરિવારનો એક વ્યક્તિ સેવાકાર્યમાં સક્રિય હોય પણ અન્યનો સહકાર ન મળે તો ક્યારેક ને ક્યારેક આ યાત્રા અટકી જાય છે પરંતુ નરેન્દ્રભાઈના પરિવારના દરેક વ્યક્તિ તેમના આ સેવાયજ્ઞમાં તેમની પાછળ રહે છે અને જ્યાં જ્યાં જાત ઘસવાની આવે તેમની સાથે રહે છે તે ઈશ્વરના આશીર્વાદ છે.

આપણા ભારત દેશમાં જ્યાં સુધી નરેન્દ્રભાઇ જેવા ભામાશા હશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ક્યારેય લુપ્ત થશે નહી અને ત્યાં સુધી કોઇપણ નાગરિક પોતાની મર્યાદાને લીધે ધાર્મિક કે સામજિક ઉત્સવોથી વંચિત નહિ રહી જાય તે આપણું સૌભાગ્ય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...